SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસે એવા આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત્ પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. આ એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યા છે તેમાં મૂઝાવું" ઘટતું નથી. એ પ્રસંગ જે સમતાએ વેરવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે.”. | “ વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર ક૯પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ ક૯પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શાક ઘટે નહીં' એમ શ્રી તીર્થકર કહેતા હતા.” (વ. ૪૯૨) આ વચનનું મનન સ્વસ્થ ચિત્તે કર્યું. તેથી અંતરમાં ઊંડું આશ્વાસન મળ્યું. પ્રભુનાં ઉપશમ સ્વરૂપ એ વચનો અમને ત્યારે ખરા ઉપશમનું કારણ બન્યાં. તેમાંથી અમને શાંતિ મળી. a શ્રી વવાણિયામાં જે પરમકૃપાળુ દેવનું જન્મસ્થાન છે ત્યાં પંચાણભાઈ મહેતાના વખતનું ઘર હતું. તે ઘણું જૂનું થઈ ગયું હતું. પૂ. રવજી અદા તે એમ જ ચલાવતા ને ભાંગ્યુંત્યું સમું" કરાવતા. પછી પૂ, મનસુખભાઈ એ મારાં લગ્ન વખતે ઘરમાં સુધારાવધારા કરી સરખું કરાવ્યું પણ કારણવશાત્ રાજ કેટ રહેવાનું થયું અને થોડા વખત પછી તેઓના દેહત્યાગ થયા. સંજોગવશાત્ વવાણિયાની એ જગ્યા મેરબી દરબાર પાસે ગઈ. તે અરસામાં પૂ. શ્રી ભગવાનલાલભાઈને રાજનગર–નિવાસી પૂ. શ્રી પોપટલાલભાઈ મહેકમચંદભાઈ નો પરિચય થયો. પરમકૃપાળુ દેવ પ્રત્યે ભક્તિના સંસ્કાર પૂ. બાપુજી તરફથી પ્રાપ્ત જ હતા. ત્યાં પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈના સમાગમથી એ તરફની શ્રદ્ધામાં વિશેષ વૃદ્ધિ થઈ. વ્યવહાર અને પરમાર્થ એ બંનેમાં પૂ. ભાઈશ્રીની દોરવણી પ્રસંગોપાત્ત મળતી. પોતે જણાવતા કે પૂ. ભાઈશ્રીને મારા પર માટે ઉપકાર છે.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy