________________
૩૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસે એવા આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત્ પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. આ એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યા છે તેમાં મૂઝાવું" ઘટતું નથી. એ પ્રસંગ જે સમતાએ વેરવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે.”. | “ વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર ક૯પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ ક૯પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શાક ઘટે નહીં' એમ શ્રી તીર્થકર કહેતા હતા.” (વ. ૪૯૨) આ વચનનું મનન સ્વસ્થ ચિત્તે કર્યું. તેથી અંતરમાં ઊંડું આશ્વાસન મળ્યું. પ્રભુનાં ઉપશમ સ્વરૂપ એ વચનો અમને ત્યારે ખરા ઉપશમનું કારણ બન્યાં. તેમાંથી અમને શાંતિ મળી. a
શ્રી વવાણિયામાં જે પરમકૃપાળુ દેવનું જન્મસ્થાન છે ત્યાં પંચાણભાઈ મહેતાના વખતનું ઘર હતું. તે ઘણું જૂનું થઈ ગયું હતું. પૂ. રવજી અદા તે એમ જ ચલાવતા ને ભાંગ્યુંત્યું સમું" કરાવતા. પછી પૂ, મનસુખભાઈ એ મારાં લગ્ન વખતે ઘરમાં સુધારાવધારા કરી સરખું કરાવ્યું પણ કારણવશાત્ રાજ કેટ રહેવાનું થયું અને થોડા વખત પછી તેઓના દેહત્યાગ થયા.
સંજોગવશાત્ વવાણિયાની એ જગ્યા મેરબી દરબાર પાસે ગઈ. તે અરસામાં પૂ. શ્રી ભગવાનલાલભાઈને રાજનગર–નિવાસી પૂ. શ્રી પોપટલાલભાઈ મહેકમચંદભાઈ નો પરિચય થયો. પરમકૃપાળુ દેવ પ્રત્યે ભક્તિના સંસ્કાર પૂ. બાપુજી તરફથી પ્રાપ્ત જ હતા. ત્યાં પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈના સમાગમથી એ તરફની શ્રદ્ધામાં વિશેષ વૃદ્ધિ થઈ. વ્યવહાર અને પરમાર્થ એ બંનેમાં પૂ. ભાઈશ્રીની દોરવણી પ્રસંગોપાત્ત મળતી. પોતે જણાવતા કે પૂ. ભાઈશ્રીને મારા પર માટે ઉપકાર છે.