________________
૨૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ત્યાંના પવન તેમનામાં બિલકુલ નહોતો. ઘરની અનુકૂળતા પ્રમાણે રહેતા. સંપ અને સાદા વ્યવહારથી કુટુંબને દેર એકસરખા ચાલતા. તેથી કુટુંબ ગામમાં દાખલારૂપ હતું' અર્થાત્ અનુકરણીય હતું. કરાંચીમાં આ કુટુંબ માટે ઘણું જ માન, અને ઘર પણ નામાંકિત ગણાતું.
મારા સ્વ. દિયરનું નામ દલીચંદભાઈ હતું. તેઓ સૌ પ્રત્યે ઘણી જ લાગણી રાખતા. તેમને રંગૂનમાં કાપડનો ધંધો હતા. તેમનાં પત્ની કાશીબહેન હાલ મારી સાથે જ રહે છે, ને પ્રભુભક્તિ તથા મુમુક્ષુઓની સેવા કરે છે, મારાં નણદ નર્મદાબહેન હાલ મુબઈમાં રહે છે. તેઓ ઘણાં શાંત અને માયાળુ છે. અમારા કુટુંબમાં પૂ. ગાંધીજીના સિદ્ધાંત અને આદર્શ માં ઘણી શ્રદ્ધા હતી, તેથી ત્યાં પરદેશી વસ્તુ વપરાતી નહીં'. જે જે પરદેશી વસ્તુઓ હતી તે પણ આઝાદીની ચળવળમાં આપી દીધેલી. ગાંધીજી સાથેના અમારા સંબંધ ઘણા ઉરચ પ્રકારના હતા. જ્યારે તેમનું કે કેાઈ દેશનેતાનું આગમન થાય ત્યારે અમારે ત્યાં જ ઉતારા રહેતા. ઘરમાં બધા શુદ્ધ ખાદી જ વાપરતા..!
a પૂજાના ખંડમાં પરમકૃપાળુ દેવનાં પગલાં હતાં. હંમેશાં સવારે
પૂજા થતી. તેમનાં રચેલાં પદો અને વાકયોથી ઘરનું વાતાવરણ - પવિત્ર બનતું. સાદાઈ અને સંસ્કારિતા એ આ ઘરનો મહાન
આદશહતા. મારા પૂ. સસરાજીના દેહવિલયને આઘાત તેમને 0.7 બહુ વસમે લાગ્યા. વાંકાનેરમાં તેમની છેલ્લી માંદગી વખતે તેમણે તન, મન, ધનથી ખૂબ જ સેવા કરી હતી.
2016esour
તેમનું જીવન ખૂબ સાદું હતું. અંતરંગ ભક્તિરસ ને વિચારો ઘણા ઊંચા હતા. ગાંધીજીના સિદ્ધાંતો તેમને અતિ પ્રિય હતા, કેઈનું દુઃખ જોતા ત્યારે તેમનું કોમળ હૃદય ધબકી ઊઠતું. ગુપ્ત દાન ઘણું કરતા. દાન લેનાર વ્યક્તિ જ્યારે તેમનાં ગુણગાન કરતી આવે ત્યારે જ ખબર પડે કે તેમણે દાન કર્યુ છે. કરાંચીમાં ચાલતી શાળા શારદામંદિરમાં તેમને ગુપ્તપણે ઘણો જ સાથ હતા. આજે તે શાળા શારદાગ્રામ તરીકે માંગરોળમાં ચાલે છે.