________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૩
પૂ. દેવમામાં નામ તેવા જ ગુણ હતા. દેવી જેવાં શાંત. પ્રભુજીનાં માતા એટલે જગતનાં માતા એવાં જ વાત્સલ્યમૂતિ હતાં. એક પૂજામાં આવે છે કે :e ‘ પ્રભુમાતા જગતની માતા, જગદીપકની ધરનારી, - માજી! તુજ નંદન ઘણું જી, ઉત્તમ જનને ઉપકારી.”
તેમની સમીપ મુક્તિગામીને જ એવું પુણ્ય સાંપડે. પૂ. દેવમાં ઉત્તમ કેટીના ભેળા જીવ હતાં. મારાતારાનો ભેદ તેમને બિલકુલ નહોતો. કુટુંબના સર્વ પ્રત્યે તેમને સમાન દષ્ટિ હતી. દરેકને સમભાવે જોતાં, પિતાથી બનતી બધી સેવા કરતાં. તેમનું દિલ વિશાળ અને ઉદાર હતું', તેથી તેમના પ્રત્યે સૌને પ્રેમ રહેતો.
e (૫) મારા મોટાભાઈ પૂ. છગનભાઈને પૂ. પિતાજી પ્રત્યે બહુમાન અને ભક્તિ હતાં. તેઓ જાણે પૂ. પિતાજીના જ્ઞાનનો વારસો લેવાના સાચા અધિકારી ન હોય ! તેમને પરમકૃપાળુ દેવ છગનશાસ્ત્રી કહીને બોલાવતા. તેમના વિચારો ઘણા ઊંચા હતા. આચાર પણ વિચારને જ અનુરૂપ હતા. વીસ વર્ષની નાની વયમાં તેમણે દેહ છોડયો. પિતાને સખત માંદગી હોવા છતાં તેમનામાં જરા પણ વ્યાકુળતા ન હતી. વેદનામાં પણ કૃપાળુદેવનું નામસ્મરણ વીસરતા નહિ. તેમણે વ્યાવહારિક ચિતાની તો વિસ્મૃતિ જ કરી હતી. સગપણ કરવાની તૈયારી હતી પણ પોતે ના જ કહેતા હતા. પછી મંદવાડ વચ્ચે ત્યારે કહેતા કે જીવવાની ઇચ્છા એટલા જ માટે છે કે આય ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ધર્મ, “સદગુરુ પિતા’– આ સર્વે અનુકૂળતા ફરી ફરી મળવી દુર્લભ છે. વીસ વર્ષની યુવાન વય છતાં તેમને માજશેખનું નામનિશાન નહોતું. તેમણે શાંતભાવે દેહ છોડયો હતો. આજે પણ એ પવિત્રાત્માના ગુણો ખૂબ જ સાંભરી આવે છે.
સને ૧૯૦હ્ના એપ્રિલ માસમાં સનાતન જૈન નામે વૈમાસિકના ૬ કે %િ) વધારાને અક શ્રી. મનસુખભાઈ એ આપ્યો તેમાં ભાઈ છગનલાલના દેહત્યાગના સંક્ષિપ્ત સમાચાર અને ફોટા સહિત લેખ આપ્યા છે જે આ પુસ્તકમાં પાછળ આપ્યા છે.'
رواد