________________
શ્રીમદ રાજચંદ્ર જમભુવન : : ૧૩
પણ મુંબઈમાં તેઓશ્રીના અવધાનપ્રયોગો જોઈ આશ્ચર્યમુગ્ધ થયા છે. છતાં તેઓ પોતે તે સિદ્ધિઓથી પોતાના ધ્યેયમાંથી વિચલિત થયા નથી.
તેમનું લક્ષ્ય આત્મસ્થ થવા પ્રત્યે હોવાથી આ પ્રકારના પ્રયાગના મોહમાંથી તેઓશ્રી વિરક્ત થયા હતા એ જ એમને અપૂર્વ વૈરાગ્ય સૂચવે છે.
ભક્તકવિ પ્રીતમદાસે કહ્યું છે : ‘જન્મ મરણમાં આવે નહીં', જેનું મન વસિયું હરિમાંહી.”
પ્રભુની કથાવાર્તાના શ્રવણ-મનનમાં, એટલે કે તેમના બાહ્યાંતર ચરિત્રને સાંભળવામાં ને સમજવામાં આપણું ચિત્ત રહ્યા કરે એ જ ઈષ્ટ છે, એ જ આત્મશ્રેયરૂપ છે. પ્રભુએ પણ કહ્યું છે કે,
સ-ઉલ્લાસથી ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કમને ક્ષય થાય છે.”
( ૨ ) મારો જન્મ સંવત ૧૫૦ના કાર્તિક સુદ પાંચમ (જ્ઞાનપંચમી)ના રોજ થયા છે. બાળવયમાં પ્રભુતુલ્ય પિતાની છાપ, તેમની પ્રતિભા અંતરમાં દઢમૂલ કરાઈ રહી છે અને જાણે એ જ મારા મનની સમગ્ર પ્રેરણા બની રહી છે. અંતરમાં તેમના પ્રતિ સતત ભક્તિભાવ ઊભર્યા કરે છે. એ ખરેખર પ્રભુનો અનુગ્રહ છે.
વવાણિયાના મૂળ ઘરમાં પૂ. બાપુજીની જ્યાં બેઠક હતી ત્યાં એક દફતરપેટી* હતી. તેની સામે પોતે ગાદી પર બિરાજતા. બહારગામથી મુમુક્ષભાઈ એ દશન-સમાગમ અર્થે આવતા, ત્યારે તેઓ સૌ ત્યાં એમની સન્મુખ બેસતા. આ દશ્ય જોઈને એ બાળવયમાં કેાઈ અને ભાવ અંતરમાં જાગી ઊઠતો, અને પૂ. પિતાજીની પ્રતિભાની આછેરી ઝાંખી થતી.
બેડકને ખડ લાંબો હતો. ત્યાં આંટા મારતા તેઓને ઘણી વાર મેં જોયા છે. તે દેશ્ય અત્યારે પણ જેવું ને તેવું સ્મૃતિમાં તાજુ'
* ઢાળિયું