________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૩
wwww
લિ. છે.રુ મણિનું પાયેલાગણુ વાંચશે.
ભાઈ સેાભાગભાઈના શરીરે તાવ આવે છે. તેમને તેમ આવે છે. દિન એ થયા પેટમાં ગાંઠના દુખાવા થાય છે. તેમ દિન બે થયા બિલકુલ ખવાતું નથી. અને બે વખત બેચાર રૂપિયાભાર રાખ પીવાય છે. શક્તિ સાવ ઘટી ગઈ છે. ખાટલામાંથી નીચે ઊતરી શકતા નથી. એક માણસ બેઠા કરે ત્યારે થાય છે. અશક્તિને લીધે ઘણી વખત અતિશ્રમ લાગે છે, એ રીતે છે. આપને જણાવવા લખું છું.
ભાઈ મનસુખભાઈ ને માલૂમ થાય જે બહેન જીજીખા સાથે ધોતિયું ૧, છત્રી ૧ મેાકલી છે તે પહેાંચી હશે. એ જ ત્રંબક, લેરાભાઈ, મગન, ચમુખા વગેરે સર્વેના પુનઃ પુનઃ નમસ્કાર પરમકૃપાળુ સાહેબને પ્રાપ્ત થાય. એ જ
શ્રી ૧૩
✩
☆