________________
૭૮૦
મુંબઈ, જેઠ સુદ ૮, ભોમ, ૧૯૫૩ જેને કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર, - પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સેભાગ,
ભાઈ ત્રંબકને લખેલા એક કાગળ આજે મળે છે.
“ આત્મસિદ્ધિ” ગ્રંથના સ ક્ષેપનું – અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉદેપશપત્રોની પ્રત અત્રે હતી જે આજે ટપાલમાં મોકલ્યાં છે. બંનેમાં મુમુક્ષ જીવોને વિચારવા યોગ્ય ઘણા પ્રશ્નો છે. in પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શકયા નથી, તે દેહમાં એક વિશેષનું (વિશેષપાણ) રહ્યું છે તે એ કે, તેના સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહેપણું કરી લઈ અખાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું કે જેથી ફરી ફરી જન્મમરણના ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગાપણું, નિર્મોહપણુ', યથાર્થ સમરસ પણું રહે તેટલું મેક્ષ પદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના રોગથી અપરાધ થયો હાયજાણતાં અથવા અજાણતાં–તો તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. - આ દેહે કરવાગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણના મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી.
શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય,