________________
૧૮૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
શ્રી સોભાગને વિચારને અથે આ કાગળ લખ્યા છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક એગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવા યોગ્ય છે.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે તે “મુક્ત” છે.
બીજા સવ દ્રવ્યથી અસગપણું, ક્ષેત્રથી અસંગપણું', કાળથી અસગપણુ' અને ભાવથી અસંગપણ સર્વથા જેને વતે તે ‘મુક્ત છે.”
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કોઈ પણ સંબંધ ન હતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષને નમસ્કાર છે.
તિથિ આદિના વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
- શુદ્ધ સહેજ આત્મસ્વરૂપ.