________________
૭૮૦
મુંબઈ, જેઠ સુદ ૮, ભેમ, ૧૯૫૩ જેને કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી, તે મહામાને વારંવાર નમસ્કાર,
પરમ ઉપકારી, આત્માથી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સેભાગ,
ભાઈ ત્રંબકને લખેલા એક કાગળ આજે મળે છે. - “ આત્મસિદ્ધિ ” ગ્રંથના સંક્ષેપનું – અર્થનું—પુસ્તક તથા કેટલાંક ઉદેપશપત્રોની પ્રત અત્રે હતી જે આજે ટપાલમાં મોકલ્યાં છે. બંનેમાં મુમુક્ષ જીવને વિચારવા ગ્ય ઘણા પ્રશ્નો છે. - પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષનું' (વિશેષપણું) રહ્યું છે તે એ કે, તેના સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહેપણું કરી લઈ અખાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું કે જેથી ફરી ફરી જન્મમરણના ફેરે ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું', નિર્મોહપણું', યથાર્થ સમરસપ’ રહે તેટલું મોક્ષ પદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોને નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયા હાયજાણતાં અથવા અજાણતાં–તો તે સવ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. - આ દેહે કરવાચોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણના મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી.
શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય.