________________
સ. ૧૯૫૩ના જેઠ સુદ ૧૦ વાર ગુરુ
પરમપૂજ્ય તરણતારણ પરમાત્મા દેવ પરમ પુરુષ કૃપાળુનાથ શ્રી રાજ્યચંદ્રભાઈની પવિત્ર સેવામાં. શ્રી મુંબઈ.
જોગ શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સેાભાગ લલુભાઈના પાયલાગણુાં વાંચશે. આપના કાગળ ગઈ કાલે આવ્યા તે પહેાંચ્યા છે. વાંચી અતિ અતિ આનંદ થયા છે. વળી હે કૃપાળુનાથ ! એજ રીતે દિન ૪ ને આંતરે કૃપા કરી કાગળ લખશેા, જે વાંચી અતિ અતિ આનંદ થાય. ખીજુ આપ સાહેબે કૃપા કરી કાગળાની નકલ તથા · આત્મસિદ્ધિ ’ ગ્રંથના સક્ષેપમાં કરેલા અર્થનું પુસ્તક એક મેાકલ્યું છે તે આજે ટપાલમાં આવ્યું ને પહોંચ્યું છે તે આવતી કાલે વાંચીશ તે જાણશે. બીજું મારા શરીરને હજુ તાવ આવે છે. ગઈ કાલે જરા ઠીક હતું. આજે અશક્તિ વિશેષ છે. અનાજ થાડુ' ખવાય છે. અને તે ખરું. તેા લખવાને અરજ કે, હે પરમ પુરુષ કૃપાનાથ, દયાભાવ રાખેા છે તેવા રાખશે અને ફુરસદની વખતે કાગળ લખવા કૃપા કરશે. આપના કાગળ આવ્યા તે ગેાસળીઆને વંચાવ્યેા નથી. વળી ઉપર લખ્યુ પુસ્તક આજે આવ્યું તે પણ વંચાવશુ નહી. આપની આજ્ઞા નહિ હોય તેા ખીજાને પણ વચાવશું નહી. માટે મહેરખાની કરી ઉપદેશપત્ર લખી સેવકના ખખર લેશેા. એ જ કૃપાભાવ રાખેા છે તેવા રાખશે.
લિ. રુ મણુિનું પગેલાગણુ' વાંચશે. ત્રંબકલાલ તથા ચક્ષુષા તથા લેરાભાઈ તથા મગન વગેરે સરવેનાં પાયેલાગણ વાંચશેાજી. એ જ વિનંતિ.
કેશવલાલ ગઈ પરમ દિવસે આવ્યેા છે. લાલચ આજે રાત્રે કાંપમાં આવ્યા હશે. ઘણું કરી પરમ દિવસ અત્રે આવશે એ જ જણાવવા લખ્યું છે. અમારે ભાણેજ ઠાકરશી દિન ત્રણ થયા લીમડીથી આવ્યેા છે. તેણે આપ સાહેખને પુનઃ પુનઃ નમસ્કાર કહ્યા છે. લિ. સેવક ત્રંબકનાં પાયેલાગણાં વાંચશેા. લાલચ'દ આજ સવારમાં આવ્યે છે.
*