________________
મમમમમમમ મમમમ
મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે
વવાણિયા
મિ. ૨-૬–૧-૮-૧૯૪ર. વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશોજી. અત્રે હું ધમ–પ્રભાવ વૃત્તિથી કુશળ છું'. આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળ્યો, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવલોકન કરીને આપનું પરમ સ્મરણ ઊપજયું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હેરતગત છે, એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોના ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું: - પ્રવેશકઃ આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો. પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિને કિંચિત્ ભાગ મળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીરતવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે; પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મહુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિચિત આપની માગણી ઉપરથી જણાવતાં અહી આગળ મેં આંચકે ખાધે નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી.
-પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાના સંબંધી આપે બહુ એ વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે.