________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૫
wwww આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે; અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે તે બાવન અવધાન :
૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું'. ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું. ૩. એક જણ સાથે શેતરંજ રમ્યા જવું'. ૪. ઝાલરના પડતા કેરા ગણતા જવું. પ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, અને ભાગાકાર
| -મનમાં ગણ્યા જવું. ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં a - અને વિષય પણ માગેલા રચતા જવી. ૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૅટિન, ઉર્દુ , ગુર્જર,
મરાઠી, બંગાળી, મરૂ, જાડેજ, આદિ સોળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમવિહીનના કર્તા-કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવા. વચ્ચે બીજા
- કામ પણ કર્યો જવા ૧૬ ૧૦. વિદ્યાર્થીને સમજાવવા ૧૧. કેટલાક અંલકારના વિચાર
આમ કરેલાં બાવન અવધાનની લખાણ અહી' આગળ પૂર્ણાહુતિ થાય છે.
આ બાવન કામાં એક વખતે મન:શક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર વિકૃત થઈ ગયું નથી.)