________________
૧૬૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
નથી, પૃહા નથી. ફક્ત કરુણામાંથી જ આટલો પરિશ્રમ પોતે ઉઠાવવા તત્પર થયા છે. સંસારમાં ભેગ, વિલાસ, મિત્ર ઘણા મળશે, પરંતુ મહાભાગ્ય વગર આવા દિવ્ય પુરુષનાં દર્શન અને ઉપદેશ મળશે નહી. કરોડો રૂપિયા ખર્ચતાં પણ આ વસ્તુવિચાર ક્યાંય નહીં મળે. માટે ઢીલ કરો મા. એની શૈલી સુંદર અને નિરાળી છે. હે જૈન બહેનો અને ભાઈઓ, તમે જે મુક્ત થવા ઈચ્છતા હો તો આ મહાન ગ્રંથના રૂડા ઉપચાદ કરો, રૂડા ઉપદેશનું મનન કરી અંતરમાં અવધારો. અન્ય ધમીએ પણ એની કેટલા પ્રેમથી સ્તુતિ કરે છે. તમારો ઉદ્ધાર કરવાને માટે જ આ બાળપ્રભુએ જન્મ ધારણ કર્યો છે, નહીં તો આટલી નાની વયમાં આટલી અનન્ય શક્તિ કેમ હોય ?
આ લઘુલેખમાં મેં' અતિશયોક્તિ કરી છે એમ કેઈકને જણાશે; પણ એવું નથી. જે મનુષ્ય એ મહાપુરુષનાં અવધાનોનું નિરીક્ષણ કર્યું હશે અને એમની દિવ્ય પ્રતિભાનાં દર્શન કર્યા હશે તે તરત જ કહેશે કે આમાં લખેલા કરતાં તો તે બાળવાર અનંત ગુણોથી શોભતા હતા. ધર્મશાસ્ત્ર અંગેના મર્મમાં જેની શક્તિની કઈ સીમા નથી તે પુરુષનું અનુસરણ કરવું શું યોગ્ય નથી ? તેઓ આટલા સમર્થ જ્ઞાની છતાં નિર્દભ અને ગુણગ્રાહી. હતા. જૈન ધમીઓએ તો આ જન્મયોગીનું પાદપૂજન કરવા જેવું છે. જે ભૂમિમાં, જે પિતાથી, જે ગામમાં, જે જનેતાથી, જે કુળમાંકુટુંબમાં અને જે રાજ્યમાં આ દેવાંશી પુરુષે જમ ધર્યો તે સવને ધન્ય છે. હે પરમાત્મા જિનેદ્ર ભગવાન ! એ દિવ્ય નર અમર તપ ! તથાસ્તુ !
હવે હે કવિવર્ય, ચકચૂડામણિ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન ! જે આપના નેહના આકર્ષણે બંધાયા હશે, જેઓ આપનાં દિવ્ય દર્શન કરતાં હશે, જે આપના ઉત્કૃષ્ટ ઉપદેશો શ્રવણ કરતાં હશે, જેઓ આપનાં સગાં-સંબધી હશે, આપની કીતિ, બુદ્ધિ અને મહાન શક્તિનું અંતરથી નિરીક્ષણ તેમ જ શ્રવણ કરતા હશે તેઓને પણ ધન્ય છે ! તે સર્વ પર આપની અમીદ્રષ્ટિ હો એ જ આ વિનયચંદ પોપટ દફતરીની માગણી છે.