________________
૧૬૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwww
થાય. પણ પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય, તે મુજબ આ વીર અનેક દૃષ્ટિએ અસામાન્ય પુરુષ હતા. જે તે પુરુષમાં અહંભાવ કે એવું કોઈ અન્ય દૂષણ આવવાનું હોત, તો આટલી નાની ઉંમરમાં શતાવધાન કરી જ્યારે અપૂર્વ પ્રસિદ્ધિ પામ્યા, ત્યારે જ તેમનામાં અહંભાવ આવી ગયા હોત. ઘણા વૃદ્ધ વિદ્વાનો પણ અહંભાવથી મુક્ત રહી શકયા નથી તે એમની તો તરુણાવસ્થા હતી ! છતાં પણ તેમના વ્યક્તિતેજમાં કયાંય કેલક જેવા મળતું નહોતું. તેઓ પ્રકૃતિથી જ ગંભીર, સત્ત્વગુણી અને વિનયી હતા. મહાન પુરુષમાં આવા ઉત્કૃષ્ટ ગુણો હોય તેમાં કઈ આશ્ચય નથી. ટૂંકમાં, દિવ્ય પુરુષે જ આ જન્મ ધારણ કર્યો છે એમ સૌને લાગતું. નહિતર આવી નાની વયે આવી શક્તિ, આવા સગુણ અને આવી ભવ્ય દષ્ટિ કયાંથી હોય ? અનેક સગુણાના પ્રકાશથી તેમનું વિરલ વ્યક્તિત્વ અદ્દભુત રીતે ઝળહળી ઊઠતું હતું. - આવા સાધુરત્નની દેદીપ્યમાન વિભૂતિથી આખું ભારત ગૌરવ લઈ શકે. પણ બધા કરતાં જેનોએ વિશેષ આનંદ અને અનહદ ઉપકાર માનવો જોઈએ, કારણ કે તેમણે જેના માટે ધર્મ-તત્ત્વ શોધી આપ્યું છે, તેટલું બીજું કંઈ કરી શકયું નથી. જૈન ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે જાણે કોઈ મહાત્મા જમ્યા હોય તેમ આ બાળાગી આપણા ઉદ્ધાર માટે જાગ્યા. જૈન ધર્મમાં તીર્થકરો પછી આવો કોઈ પુરુષ થયા નથી એમ ઘણા માને છે તેનું કારણ પણ તેમની જૈન ધર્મતત્ત્વની આવી અજોડ સેવા છે.
ધર્મ વૃદ્ધિપ્રકાશક એ શબ્દ આગળ રાખી વિચારીએ. આ ધર્મવૃદ્ધિ માટે આપણે જેટલું માન આ બાળ ગીવરને આપીએ તેટલું ઓછું જ છે. ધમ પરનો એમને મૂળથી જ પ્રેમ એવા હતો કે એનું મનન, રટણ, ગભીરતાની સાથે ચાલતાં, ઊઠતાં, બેસતાં, હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, પહેરતાં, ઓઢતાં, સૂતાં, જાગતાં—એમ એમની દરેક જીવનક્રિયામાં જૈન ધર્મનું તત્ત્વ પ્રગટ થતું હતું. * જૈન ધર્મના અનાદિકાળથી ચાલ્યા આવતા મહાનિયાને અનુસરીને જ એ ધમ મતમતાંતર બને એ માટે ગ્રંથ રચવાના