________________
અંજલિ
[રાજકોટનિવાસી સ્વ. શ્રી ભગવાનલાલ
રણછોડદાસ મોદીની જીવનપ્રતિભાને અંજલિ ] . - “સ્વર્ગસ્થ એક વીર અને વિરલ આત્મા હતા. સ્વજનો તથા એમના સંપર્ક માં આવનાર સૌને એમની જીવનસુરભિ આફ્લાદક બનતી હતી. બીજાઓને અર્થે જીવવું અને જરૂર પડયે ખપી જવું એ આ નમ્રાત્માને જીવનમંત્ર બની ગયો હતો. એ જ રીતે તેઓ જીવ્યા અને એ જ રીતે એમણે જીવન ત્યાગ્યું.”
આ સંસ્થાના કરાંચીના દિવસના સદાના પ્રાણપોષક અને ઉપ-પ્રમુખ તથા ટ્રસ્ટી શ્રી ભગવાનલાલ રણછોડદાસ મોદીના કરાંચીમાં સને ૧૯૫૦માં સ્વર્ગવાસ થયે, ત્યારે સંસ્થાના ટ્રસ્ટીમંડળે આ મહાનુભાવના અપ્રતિમ કોટિના જીવનને ઉપરોક્ત શબ્દોમાં અંજલિ આપી હતી.
હૃદયના ઊંડાણમાંથી સરેલા આટલા જ શબ્દોએ આ મહાનુભાવને કેટલી ભવ્ય અંજલિ આપી છે ! એથી ઘણી વિશેષ અંજલિના તેઓશ્રી અધિકારી હતા. 0 ભગવાનલાલભાઈનો જન્મ ગાંડળ મુકામે સંવત ૧૯૪૮ના કારતક સુદ પાંચમના રોજ થયો હતો. પિતાશ્રી રણછોડભાઈ છેક એ દિવસેમાંય રાષ્ટ્રીયતાની ભાવનાથી રંગાઈ પૂરેપૂરા સ્વદેશી વ્રતધારી બન્યા હતા. શાંત અને સરળતાભરી પરોપકારી પ્રકૃતિ સાથે સમન્વિત વ્યવહારકુશળતા અને ઈશ્વરપરાયણ વૃત્તિથી તેઓશ્રી સર્વને પ્રભાવિત કરે એવી સર્વતોભદ્ર પ્રતિભા ધરાવતા