________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવને : ૧૪૯
હતા. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયથી તેઓશ્રીની વિચારસરણીની અસર નીચે આવીને શ્રી રણછોડદાસભાઈ પ્રસંગોપાત્ત એક કે બીજી રીતે ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા. કરાંચીમાં મોદી કુટુંબને વાસ ઈ. સ. ૧૯૧૦ના અરસામાં શરૂ થયો. એ જ અરસામાં પૂ. ગાંધીજીએ કરાંચીની પ્રથમ મુલાકાત લીધી ત્યારે શ્રી. રણછોડદાસભાઈને ત્યાં તેઓશ્રીનો ઉતારે રહ્યો હતો.
આવા સંસ્કારસંપન્ન, ધમપરાયણ અને રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર પિતાના ચારિત્રબળો અને વિવિધ સગુણોને સબળ વારસો શ્રી ભગવાનલાલભાઈને મળ્યો હતો. કરાંચીમાંના વસવાટ સાથે તેઓશ્રીના વેપારના આરંભ સને ૧૯૧૦ ની અરસામાં કેટ કું. થી થયા. ક્રમશઃ ધંધો ખૂબ કુશળતાપૂર્વક વિકસાવીને એ ધંધા સાથે શ્રી રણછોડદાસભાઈ એ મિલ્સ સ્ટેસનો આરંભ કર્યો. ઈ. સ. ૧૯૨૦ માં પોતાના આ તેજસ્વી પુત્રને પરદેશના વ્યાપારના સંબંધે વિકસાવવા ઇંગ્લડ ઇત્યાદિના પ્રવાસે મોકલ્યા. એ દિવસોમાં આવા પરદેશના પ્રવાસો અસાધારણું ગણાતા હતા. શ્રી ભગવાનલાલભાઈ એ આવા પરદેશપ્રવાસ છ વખત ખેડવા હતા. એમના પુરુષાર્થથી પરદેશી વેપારી – સંબંધો વિશેષ ને વિશેષ વિકસતા થયા.
સને ૧૯૦ આસપાસ શ્રી ભગવાનલાલભાઈએ વેપારના વિકાસની દૃષ્ટિએ દેશપરદેશમાં અસાધારણુ કહી શકાય એવું સાહસિક પગલું ભર્યું. પેટ્રોલ અને કેરોસીનની મોટા ઈજારાવાળી બર્મા શેલ જેવી ધરખમ પરદેશી પેઢીઓની સામે એમણે પેટ્રોલ–કેરાસીનના વેપારની શરૂઆત કરી. દેશની પરાધીન રાજકીય અવસ્થામાં પરદેશી હિતો સામે આવું સાહસ કરનાર દેશભરમાં આ એક માત્ર હિંદી પેઢીએ એમની કુશળતાભરી બુદ્ધિશક્તિથી એ પરદેશીઓને પણ ચકિત કરી મૂકયા હતા. પછી તો એમને આ વેપાર કરાંચી ઉપરાંત મુંબઈ, કલકત્તા સુધી વિકસ્યા હતા. પરંતુ એકાએક મહાયુદ્ધ આવી પડવાને લીધે પ્રતિકૂળતાઓ ઊભી થતાં આ મહાસાહસને કુશળતાપૂર્વક સંકેલી લેવું પડયું હતું.