________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન :: ૧૩૫
www
w
શ્રીમદ્જીએ તેઓને વાર્યા અને જણાવ્યું કે ‘તેનું જોખમ બધું અમે અમારે શિરે રાખીએ છીએ.’ પણ આગ્રહને લઈને એ ભાઈને માનતાએ જવાનું થયું અને ત્યાં તેઓ હેરાન થયા હતા એમ પાછળથી સમજાયું હતું. | શ્રીમદ્જીને એક વખત મે સવાલ પૂછયો હતો કે જૈન ધર્મના
ધ પ્રમાણે કેઈ સાધુ વિચરી શકે નહીં, હોઈ શકે નહીં'. હાલ એવા કેઈ સાધુ પુરુષ હશે ? જવાબ મળે “હોઈ શકે.” - વ્યાવહારિક પ્રસંગોના સવાલના જવાબમાં શ્રીમદ્જી હમેશાં ઉપેક્ષા દાખવતા. શ્રીમદ્જીના દેહોત્સગ પછી “શ્રીમદ્ રાજચંદ્ર” નામનો ગ્રંથ (મેટો) છપાઈ બહાર પડયો અને તે ગ્રંથનું અવલોકન કર્યું ત્યારે જ શ્રીમદ્જી કેવી દશાના પુરુષ હતા તે સમજાયું. અર્થાત્ તેમનું ભગવતસ્વરૂપ યથાતથ સમજાયું છે તથા જગત અને જીવનું ભાન થયું છે. તેઓશ્રીની ભાષા અને કથન એ પુસ્તક દ્વારા અદ્દભુતતાનો ચિતાર આપે છે. તેઓશ્રીની બધી કૃતિ સહેજ જ હતી, તે સ્વાભાવિક સમજાય છે. કર્મના નિયમનું સાચું ભાન જિજ્ઞાસુ મુમુક્ષુને આ પુસ્તકમાંથી મળી આવે એવું મારું માનવું છે. તત્ત્વાતત્ત્વનું ભાન થવા માટે આ
શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ બીજરૂપ છે, અને તે સમજણને ખીલવનાર તથા પોષણ આપનાર પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈ
મહામહોપાધ્યાય.” મુનિશ્રી શ્રી લઘુરાજ સ્વામી વગેરેને આભાર માની તેઓને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરું છું.
આ જગતના ત્રિવિધ તાપના નિવારણ અર્થે શ્રીમદ્જી પરમકૃપાળુ દેવનાં વચનામૃતો જુગાજુગ પ્રસિદ્ધિને પામે ! શ્રી રાજચંદ્ર ભગવાન પ્રત્યે આજ પર્યત જાણતાં-અજાણતાં થયેલ
અવિનય, અશાતના, અયોગ્યતા માટે માફી માગી અંત સમયે ફક્ત તેઓની જ સેવા મળી, તેમના ચરણમાં જ નિવાસ મળી એટલું ઇરછી અંતઃકરણપૂર્વક નમસ્કાર કરું છું', ત્રિકાળ નમસ્કાર
દાસાનુદાસ અલ્પજ્ઞ સેવક રણછોડદાસ ધારશીભાઈ