________________
૧૩૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
લગભગ એક માસ સાથે રહ્યા છતાં, બેસવું, ઊઠવું, સૂવું એ બધા જ પ્રસંગ સાથેનો હોવા છતાં તેમ જ વચ્ચે કેઈની પણ દખલગીરી નહીં હોવા છતાં શ્રીમદ્જી સાથે સહુચારીપણા સિવાય વિશેષપણે અંતરાત્મા જાગ્યા નહોતા. તેઓશ્રીના દરેક કાર્યમાં નિર્મળતા અને રવરછતા તથા નિર્દોષતા જોવામાં આવતી, છતાં આ પ્રદેશમાંથી શ્રીમદ્જી મુંબઈ જવા નીકળ્યા તે વખતે વળાવવા સાથે ગયા ત્યારે રસ્તામાં વાતચીતના પ્રસંગે મેં અસભ્ય અને અવિનયભર્યો શબ્દ ઉચ્ચાર્યો હતો. આ લખનારને ખાસ યાદ છે કે રસ્તામાં તે વખતે બીજી બાબતો ઉપર વાત ચલાવી કરુણાદ્ર હૃદયે પોતે શ્રી “ભગવાન” છે એવું કબૂલ કરાવી પોતાની પાસે એ કઠોર વચનની માફી મંગાવી હતી. આજે તે દેશ્ય સંભારતાં રોમાંચ ઊભાં થાય છે. તે વખતની તેમની મુદ્રા અત્યંત અનંત કરુણાથી ભરેલી, ઓજસ્વી લાગતી હતી. શાસ્ત્રમાં કહ્યું છે કે સપુરુષ ભગવાનરૂપ, કરુણાના મહાસાગર હોય છે. તેમની કરુણા સ્વયંભૂરમણ સમુદ્ર સાથે હરીફાઈ કરતી હોય છે. તે ભગવાનની કરુણા અનંત અને અપાર છે, તેને ત્યારે અનુભવ થયો. જેનું જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ હોય તે પુરુષ જ આમ કરુણા કરી શકે. સામાન્ય મનુષ્યનું શું ગજું ? ત્યાર બાદ મુંબઈ પાસે શીવ, વલસાડ, તિથલ અને મોરબી તથા વઢવાણ કૅમ્પમાં સમાગમ ચાહીને ઈચ્છન્યો હતો. સાથે ને સાથે ઘડી પણ જુદા ન રહેવાના ચાગ બન્યો હતો છતાં “તસ્વાતત્ત્વના નિર્ણય કરવા મેં જરાય દરકાર કરી નહોતી.
ભગવાન તે માત્ર નિરંજન નિરાકાર જ હોઈ શકે. જૈન સિદ્ધાંત કઇ બાબતના નિર્ણય ઉપર નથી એવું નાનપણથી મનમાં ઠસેલું હતું' તથા પશ્ચિમની યાંત્રિક - તાંત્રિક વિદ્યાના પરિચયથી જડવાદ મગજમાં ભરેલો હતો. બીજુ કાઈ સાધ્ય કરવા તરફ લક્ષ રહેતું જ નહી'. ન્યાય, નીતિ એ જ દરેકનો ધર્મ હોઈ શકે; પણ ખરું કહીએ તો બધા એકાંતિક આગ્રહ હતો. વિવેકપૂર્વક સમજવાની તે વખતે ખામી હતી, જે થોડા અંશે પાછળથી એછી થવાનું ભાસ્યમાન થતું હતું. મોરબીના સમાગમ વખતે મારા એક વાવૃદ્ધ પૂ. વડીલ કુળદેવીની માનતાએ ગાંડલ જતા હતા, ત્યારે