________________
૧૩૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
છે. પરમકૃપાળુ દેવશ્રી પોતે વાત કરતાં ‘ અમે’ શબ્દ બહુ વાપરતા. એક વખત એકાંતમાં સવાલ કર્યો હતો કે આવી રીતે વાત કરવી યા બલવું એ હુંપદપણું સૂચવે છે એમ નથી લાગતું ? ત્યારે તેઓશ્રીએ તેનો અર્થ સમજાવ્યો હતો કે, અ=નહી’ અને મે=હું. તેથી અમે હું નહીં એવા અર્થમાં “ અમે’ શબ્દ વાપરીએ છીએ. આ વખતે તત્ત્વજ્ઞાન સંબંધી કંઈ મનને નિર્ણય થયેલો નહી હોવાથી એ અર્થનું મહત્ત્વ લાગ્યું નહોતું. હવે એ શબ્દનું ગાંભીય અને તે શબ્દ વાપરવામાં પરમકૃપાળુ દેવની તેવી ખરી -વીતરાગ દૃષ્ટિ અને સ્થિતિનું ભાન થાય છે. અર્થાત્ તેઓશ્રીના ખરો આશય યથાર્થ સમજાય છે. એ રીતે કદી તેઓશ્રી વાત કરવામાં કે ખુલાસા કરવામાં સામાન્ય રીતે પોતાપણું આરોપતા
સામાન્ય રીતે સુરત જિલ્લામાં રાંધેલી દાળ સાથે દહીં ખાવાના રિવાજ વિશેષ હતા. પોતે એક વખત જણાવેલું કે રાંધેલું -અને ઠંડું પડી ગયેલું દ્વિદળ એટલે કેાઈ જાતનુ' કઠોળ, દૂધ-દહીં મેળવી જમવાના ઉપયોગમાં લેવું નહીં'. આવું ઘણી જગ્યાએ જૈનાચાર્યો કહેતા આવ્યા છે. તે વખતે આ વાત સમજાઈ નહી પણ અત્યારે સમજાય છે. અતી'દ્રિય જ્ઞાન વિના ખરી હકીકત ભાસ્યમાન થઈ શકે નહીં. જે વાત મહાન સૂફમદશક યંત્રથી ઍકટેરિયોલોજી હાલ સિદ્ધ કરે છે, તે જ અતીન્દ્રિય જ્ઞાનવાળા સહેજે સમજી શકે છે અને આવા મિશ્રણને નિષેધ એ સ્વાભાવિક રીતે સમજાય છે.
શ્રીમદજીની કારુણ્યવૃત્તિનો એક બીજો દાખલો પણ નોંધપાત્ર છે : તે એ કે જ્યારે ધરમપુરના પહાડી પ્રદેશમાં અમે સાથે હતા તે અરસામાં એટલે સં'. ૧૫૬ ના ચૈત્ર માસમાં અમારા રાજ્યકર્તાના મુલકમાં પોલિટિકલ એજંટ સાહેબને મુકામ થયે હતા. તે સાહેબના સમાન અર્થે શિકારની ગોઠવણ થઈ હતી. પણ જાનવરના સભાગ્યે જ્યાં દયાના ઝરા વહેતા હોય ત્યાં દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે ? એ બનાવને ગમે તેમ ગણવામાં આવે પણ એટલું ખાસ નોંધવાની જરૂર છે કે જ્યાં સુધી શ્રીમદ્જીની સ્થિતિ એ મુલકમાં રહી ત્યાં સુધી શિકાર મળી