________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૧૫
ww
રીતે ખજાવ્યા હતા. પરંતુ આવેા સ્નેહ નિર ંતર નિભાવવાનુ સર્જનહારની ઇચ્છાને પ્રતિકૂળ હશે તે તેના હાલના કાર્યથી
સમજાઈ શકે છે. ’’
આ ખટલાનું સમાધાન ઘણી વિપત્તિએ વેટચા પછી સવત ૧૯૬૪ના અંતમાં આવ્યું. આ કેસ ચાલ્યા તે દરમ્યાન છગનલાલે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલાં ધર્મનીતિને લગતાં ઘણાં બધાં પુસ્તક વાંચી નાખ્યાં . તેમ જ પેાતાના પિતાનાં વચનામૃતાના સંગ્રહરૂપ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનુ તે એવું ઊંડું અધ્યયન કર્યું. કે તેના કયા પૃષ્ઠ પર કયા વિષય છે તે સુદ્ધાં તેને જિવાત્રે હતું.
ભાઈ છગનલાલે સંખ્યાબંધ પુસ્તક વાંચેલાં તેમાં ‘ રામાયણ ’, ‘ મહાભારત ’ અને ‘ શ્રીમદ્ રાજચંદ્ર’ એ ત્રણ ગ્રંથા તેને અત્યંત પ્રિય હતા. તેમાં પણ શ્રીમદ્ રાજચંદ્ર' અને ‘રામાયણ ’ વિશેષ પ્રિય હતા. આપણે એમ કહી શકીએ કે · શ્રીમદ્ રાજચંદ્ર' અને ‘રામાયણ’ એ એ ગ્રંથા તેના ચારિત્ર્ય-ઘડતરના બે મુખ્ય ઘટક 'શેા હતા.
6
સવત ૧૯૬૪ની મધ્યમાં આ લખનારે એટલે કે કાકાએ ભત્રીજાને વેપારમાં કેળવવાના ઉદ્દેશથી ભત્રીજા-કાકાના નામવાળા વેપારને વહીવટ શરૂ કર્યાં. ઉપરાક્ત ખટલાના સ’. ૧૯૬૪ માં અંત આવ્યા. ત્યાર પછી ભાઈ છગનલાલે વેપારમાં ખરુ. ચિત્ત પરાવવાની શરૂઆત કરી, પણ હજી ચાર માસ પૂરા ન થયા, ત્યાં તેના પર ક્ષયના જીવલેણ વ્યાધિએ હુમલેા કર્યાં.
આ વ્યાધિએ હુમલા કર્યા બાદ ખની શકે તેટલા પેાતાની જાત ઉપર સયમ રાખી આત્માનું કલ્યાણ કરવા માટે મનુષ્યદેહ ટકાવવાની તેણે દૃઢ ઇચ્છા કરી. પરદેશી તેમ જ દેશી ડૌટા અને વૈદ્યોના ઉપાયા એવા કડક નિયમપાલનથી કર્યા કે જેથી તેની સારવાર કરનાર ડૉક્ટરો પણ કહેતા કે આવે! વિચક્ષણ અને નિયમનું ચુસ્ત પાલન કરનાર દરદી ભાગ્યેજ જોવામાં આવે છે. આરેાગ્યના દરેકે દરેક નિયમ ચીવટપૂર્વક પાળવાથી સાત મહિનાના પ્રયત્ન પછી એક વખત આરોગ્ય તદ્ન સુધરી ગયું અને તે પ્રમાણે ખરાખર અઢી મહિના સુધી ત ંદુરસ્તી ટકી રહી. પરંતુ ત્યાર આદ વ્યાધિએ એવા ઊથલા માર્યા કે છેવટે તેણે તેના દેહ લીધા.