________________
૧૧૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
w
બુધવારના રોજ વીસ વર્ષની તરુણ વયે મોરબીમાં જ સવારે સાત વાગ્યે એમનું નિધન થયું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૫૭ના ચૈત્ર વદ પાંચમને રોજ ૩૩ વર્ષની યુવાન વયે દેહોત્સર્ગ કરી આપણી વચ્ચેથી ચાલી નીકળ્યા. એ વખતે ભાઈ છગનલાલની ઉમર માત્ર ૧૧ વર્ષની હતી. તેઓશ્રીનું લક્ષ પરમાર્થ તરફ જ હોઈને તેમણે ખરુ' કહીએ તો પિતાના સંસાર સંબંધમાં ઉદાસીનતા જ સેવી હતી અને તેથી બાલપણુથી જ ઘણુ ખરુ ભાઈ છગનલાલની સંભાળ રાખવાનું કામ આ ચરિત્રલેખક-તેના દુખી કાકા-ઉપર આવી પડયું હતું. ભાઈ છગનલાલને સળગે વર્ષે વિદ્યાભ્યાસ બંધ કરવાનું અનિવાર્ય બનતાં મેટ્રિકના વર્ગમાં દાખલ થઈને તેમણે વિદ્યાભ્યાસ બંધ કર્યો.
ભાઈ છગનલાલ છે – સાત વર્ષના હતા ત્યારથી જ તેના પિતા – શ્રીમદ્ રાજચંદ્ર-તેને “છગનશાસ્ત્રી ” એવા રહસ્યસૂચક નામથી બોલાવતા. તે નામ પૂજ્ય ગાંધીજીની સ્મૃતિમાં પણ હતું. સંવત ૧૯૬૧-૬૨માં કઈ પૂર્વના પાપગે અંદરઅંદરના સગાસંબંધીઓથી ચાલતી વેપારી પેઢીને અંગે હાઈકોર્ટમાં માટે ખર્ચાળ ખટલો ઊભો થયો. આ લેશનું પૂરુ' સ્વરૂપ અહીં ન આલેખતાં માત્ર એટલું જ જણાવીશ કે તે અંગે ભાઈ છગનલાલને કાકાની સહાયમાં રહેવાની અનિવાર્ય જરૂર પડી.
સોળ સત્તર વર્ષના તરુણનું' આ વખતે કેવું દઢ મનોબળ હતું તેમ જ તેમની કેટલી શક્તિ હતી તેની પ્રતીતિ આ ખટલામાં રોકાયેલા આ પક્ષના વકીલોને પણ થઈ ગઈ હતી. કાકા-ભત્રીજા વચ્ચેના સુંદર સંબંધનો ઉલ્લેખ એમાંના એક ઉચ્ચ કેળવણી પામેલા મહાનુભાવે ભાઈ છગનલાલ સંબંધી તેમના અવસાન પછી જે આશ્વાસનપત્ર લખેલો તેમાં વ્યક્ત થાય છે :
આપે એક પુત્ર તરીકે પાળીને, વળી પુત્ર કરતાં પણ અધિકતર લાલન આપીને સંતાન તરીકે ઉછેરી અનેક આશાઓને હૃદયમાં સ્થાન આપ્યું હશે. તેઓશ્રીએ પણ આપને પિતાતુલ્ય માની, સંકટ સમયે પ્રતિકૂળ આદેશ હોવા છતાં છેવટ સુધી બાળક તરીકે પોતાનો ધર્મ અવિચ્છિન્ન નેહ ને આદરથી પૂરેપૂરી