________________
૧૧૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwww
wwwwwww
વાંચનારને આશ્ચર્ય થશે કે, વીસ વર્ષની ઉમર કે જ્યારે સંસારના અનેક લહાવા લેવાની ઇચ્છાએ અને તૃષ્ણાએ પૂરી કરવાના હેતુથી વ્યાધિગ્રસ્ત થયેલાએ મનુષ્યદેહ ટકાવવાની ઇચ્છા રાખે છે, ત્યારે ભાઈ છગનલાલે પેાતાના પિતાનેા ધાર્મિક અને સાંસ્કારિક વારસે કેમ જાણે પ્રાપ્ત કર્યાં ન હોય તેમ દેહને આત્માથે ટકાવી રાખવાની દૃઢ મનેાવૃત્તિ સતેજ રાખી હતી.
ભાઈ છગનલાલે એક વિદ્વાન તરીકે અથવા એવી બીજી રીતે સમાજમાં કોઈ ભાગ ભજવ્યેા ન હતા. અથવા, તરુણ અવસ્થાને લીધે તે કોઈ લેખા વગેરે લખીને પણ પ્રસિદ્ધિ પામ્યા ન હતા. તેને લેખા લખવાના ખાસ શાખ પણ ન હતા. એટલે તેનુ કોઈ લેખન-સાહિત્ય ઉપલબ્ધ નથી. પણ તેનાં ઘેાડાં વચને તેની સ્વહરતે લખેલી છૂટીછવાઈ નિત્યનાંધામાં જોવા મળે છે. તે અહી' મૂકીએ છીએ. તે ઉપરથી ખ્યાલ આવશે કે મનુષ્ય દેહ ટકાવી રાખવાની તેમની દૃઢ ઇચ્છા હતી તે આત્મકલ્યાણાર્થે હતી. સાથેાસાથ એ પણ જણાશે કે તે પેાતાના પ્રસિદ્ધ પિતાને સુયેાગ્ય પુત્ર હતા. સંવત ૧૯૬૨ ની પોષી પૂનમ ને બુધવાર તા. ૬ઠી જાન્યુઆરીની તેની એક નેાંધ છે.
પ્રશ્ન : “ જીવવાની ઇચ્છા છે? શા માટે છે?”
**
જવામ : “ કલ્યાણને અર્થ”
પ્રશ્ન : “ કાનુ ? ”
જવાબ : “ આત્માનું,
પ્રશ્ન : “ પ્રયત્ન મંદ કેમ ? ”
જવાબ : “ પંચમ કાળને કારણે.”
પ્રશ્ન : “ જીવીને શે। ફાયદો કાઢશે ?’’
,,
જવાબ: “મેં તમને ઉપર જણાવ્યુ તે ઇચ્છા પૂરી કરીશ.'
પ્રશ્ન : “ હવેના ભવમાં તે પૂરી નહિ પડે?”
ઃઃ
જવાબ : “ ફરીથી મનુષ્ય ભવ, તે સાથે જૈન ધર્મ, સાથે પૂજ્ય શ્રી ( શ્રીમદ્ રાજચંદ્ર ) ના જોગ, અને તેનુ સ્મરણ આવતા ભવમાં રહેવુ.....
29