________________
ભાઈ અમૃતલાલ મ,
પરીખ
શ્રી અમૃતભાઈ ને પ. પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈને પરિચય ડૉ. ચિમનલાલ તથા ડો. નરોત્તમભાઈ કાપડિયાની પ્રેરણાથી વડેવાતીર્થે થયા. ત્યાં તેઓશ્રીના પ્રથમ પરિચયે જ પ્રભુકૃપાએ કઈ પૂર્વસંસ્કારથી પૂજ્ય ભાઈશ્રી પ્રત્યે અપૂર્વ ભાવ તેમને આવ્યા, અને એ તીર્થ માં પૂ. ભાઈશ્રીના સાંનિધ્યમાં સત્સંગસ્વાધ્યાય અર્થે વખતોવખત જવું થતું અને ત્યાં રહેવાનું થતું. પૂજ્ય ભાઈશ્રીના પરમસત્સંગયેાગે શ્રી પરમકૃપાળુ દેવ પ્રત્યે અને તેઓના ઉપદિષ્ટ વચનામૃત પ્રત્યે પ્રીતિ-ભક્તિ, શ્રદ્ધા વિશેષ દૃઢ થયાં. શ્રી વચનામૃતના સ્વાધ્યાય, ચિંતન-મનન એ જ એક તેમનું લક્ષ રહ્યું. પૃ. ભાઈશ્રીના દેહવિલય બાદ તેમણે મોટે ભાગે વડવામાં રહેવાનું રાખ્યું અને ત્યાં આવતા મુમુક્ષુ ભાઈ-બહેનોને સ્વાધ્યાય-સત્સંગનો સારો લાભ મળતાં તેઓ વચનામૃતના વાચનમનનમાં વધુ રસ લેતા થયા છે અને એમ તેમના સમાગમથી અનેક ભાઈબહેનો પરમ પ્રભુ પરમકૃપાળુ દેવમાં ભક્તિનિષ્ક થઈ આજે પોતાનું જીવન સાર્થક કરી રહ્યાં છે. વર્તમાનમાં શ્રી વડવાતીર્થમાં તથા પ્રભુના જન્મસ્થાન શ્રી વવાણિયાતી માં સ્વાધ્યાય-વાચન દ્વારા શ્રી અમૃતભાઈ સી મુમુક્ષુ આત્માઓને પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રીતિ-ભક્તિ કરાવી રહ્યા છે. આ રીતે ઘણા જેને માટે તેઓ ભક્તિના નિમિત્તરૂપ બની રહ્યા છે. મને તેમના પ્રત્યે ઘણો જ આદર છે. મારા અંતરની તેમના પ્રત્યે આશિષ છે કે તેમનું આરોગ્ય સચવાઈ રહે અને તેઓ આધ્યાત્મિક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી અન્ય સૌ મુમુક્ષુ આત્માઓને પ્રેરણાદાયક બની રહે, તથા એમની ઉત્તમ ભાવના