________________
૧૧૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
પ્રમાણે પરમકૃપાળુ દેવ પ્રત્યે તથા જન્મસ્થાન “શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” પ્રત્યે નિરંતર સૌની પ્રીતિ–ભક્તિ વધતી રહે. અનેક લોકેમાં શ્રીમદ્ ભક્તિ જાગ્રત કરવાનું અને તેને પોષવાનું પુણ્યકાર્ય કરવા માટે જ જાણે જીવન જીવી રહ્યા હોય તેમ પિતાનું અને અન્યનું કલ્યાણ સાધી રહ્યા છે. તે કાર્યનું તેમનું મુખ્ય સ્થાન “શ્રીમદ્ રાજચંદ્ર ભુવન” રહ્યું છે. એમની સેવાભક્તિ ઉત્તરોત્તર પાંગરી રહો એવા મારા આશીર્વાદ છે.