________________
૧૦૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
જણાવે છે, “ ગમે તેમ થાય, આ વખતે પૂર્ણિમા વવાણિયા જ કરવી છે—તમે હા પાડશો કે ના પાડશો તો પણ આ પૂનમ વવાણિયા કરવી જ છે.” આવે સમયે ઇરછવાયોગ્ય વિધિ એટલે ડૉક્ટરની પરમીટ (રજા) લેવી જોઈએ અને તેમ થાય એટલે સમાધાન રહે. પણ જે થવા યોગ્ય હોય તે જ બધી વિધિ અનુકૂળ થાય. ઠેકટરને બતાવ્યું. તેમના કહ્યા પ્રમાણે “કાડિયેગ્રામ’ કઢાવ્યા. બહુ જ સારો આવ્યો અને ડૉકટરે કહ્યું, “ પંદર દિવસ ખુશીથી રહી આવો.” ઘણી વાર અંતરનાં વેણ કેાણ બોલાવે છે તેની કોઈ બોલનારને પણ ખબર હોતી નથી. એની અંતરિક્ષ વાણીથી પતે કહે, “ ત્રણ દિવસ રોકાવું છે.” મિત્ર આવ્યા તેને કહે, “ આપણને પરમીટ મળી ગઈ. ભગવાન બોલાવે ત્યાં કોણ રોકનાર છે ? ” તેરસે નીકળી દહીંસરા આવ્યા. મૈટરની સગવડ રખાવી હતી તેમાં વવાણિયા આવ્યા. મૅટરથી મંદિરની પ્રદક્ષિણા કરીને પોતે અંદર આવ્યા. તે વખતનો તેમને આનંદ, ઉલ્લાસ જ અનેરો હતા—અવશ્ય હતો. પ્રભુને ભેટવા જાણે ન આવ્યા હોય !
‘પરમકૃપાળુ પ્રભુ નમું, અહો પ્રગટ મહાવીર;
શ્રીમદ્ રાજચંદ્ર પદે, ધરું શ્રીફળ નિજશિર.' મંદિરમાં આવતાં જ આ ભક્તિભાવનાથી ઉત્કંઠાપૂર્વક પ્રભુના ચરણમાં શિર ઝુકાવી દીધું. તેની અંતર ઇચ્છાની ભક્તિ સમજીને તેની ભક્તિની સુવાસ સ્વજનોમાં પ્રસરી રહે, તેનું જીવન ધન્ય બને, તેની પુણ્યસ્મૃતિ ખેદ અને શાકને સ્થાને સૌને પ્રભુભક્તિમાં, સદ્દવિચારમાં, ધુમ ધ્યાનમાં રહે, પ્રેરે, એવા એવા ગહન, અતિ ગહન ભાવે એ તો એ જ જાણે ! ભક્તવત્સલ ભગવંતે જાણે તેને સંદેશ ન સાંભળ્યો હોય ! તે અંતરિક્ષ સંદેશાને ઝીલી નાજુક ભયભરેલી પરિસ્થિતિમાં પણ વવાણિયા આવવાના–પ્રભુદશન પામવાના – કોડ હતા.
આ વખતના એમના વર્તનમાં અને સમાગમમાં કોઈ અનેરા ઉત્સાહ વરતાતો હતો. તેઓ જાણે શરીરને ભૂલી ગયા ન હોય ! અધી દેખરેખ જાતે રાખવાની જ તમન્ના તેમને હતી. આવેલા સૌ મહેમાનોની વ્યવસ્થા જોઈ કંદોઈ ને બોલાવી પોતે જ બધી