________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૧
wwwwwwwwww કુદરતી લાગી આવ્યું. હું દેશમાં આવી. એકાદ મહિના માટે આવી હતી પણ કરાંચીમાં તોફાની અને ધમાલ બહુ હોવાથી પાછી જઈ શકી નહી'. દરમિયાન તેમના શરીરની કાળજી ત્યાં કરાંચીમાં રાખી શકાઈ નહી', તેથી તેમને શરીરે ઘસારો પહોંચ્યા. તેઓ દસેક મહિના ત્યાં રહ્યા ત્યારે તેઓની સાથે શ્રી ગોપાળજીભાઈ રહ્યા હતા. અમને બધાને તેઓ ત્યાં હતા તેનું બહુ દુઃખ હતું. પછી તેઓ દેશમાં આવ્યા ત્યારે અમે મસૂરી હતાં. મસૂરી માં તેઓ લખ્યા કરે, “ તમારી બાને કઈ રીતે મૂંઝાવા દેશે મા કે સંકેચ પડવા દેશે મા.” મસૂરીથી અમે મુંબઈ આવ્યાં અને તેઓ પણ દેશમાંથી મુંબઈ આવ્યા. શરીર પર નબળાઈ ઘણી હતી, પણ પતે તે જણાવે નહી. થોડા વખત રહી તેઓ બન્ને બહેનોને (દીકરીઓને) મળવા કલકત્તા ગયા, પણ નબળી તબિયત હતી એટલે રસ્તામાં ઠીક ન રહ્યું. તબિયત વધુ બગડી. શરદી બહુ થઈ ગઈ છતાં મને સમાચાર લખ્યા નહોતા. પૂર્ણિમા પર તેઓ કલકત્તાથી નીકળવાની ઉતાવળ ઘણી કરે અને એમ કહેતા કે
નહી જાઉં તો તમારાં બાને દુ:ખ લાગશે.” પણ બહેનોએ તેમની શારીરિક નબળાઈને કારણે આવવા દીધા નહીં'. થોડા દિવસ બાદ કલકત્તાથી વવાણિયા આવ્યા તે વખતે ખંભાતથી ભાઈશ્રી અમૃતભાઈ વગેરે પંદરેક ભાઈ એ ત્યાં દર્શનાર્થે પધાર્યા હતા. તેમાં અમૃતભાઈના વાચનમાં તેમને ખૂબ રસ આવતો. પછી તો તેમને ભાવના પણ એવી થતી કે આપણે હવે નિવૃત્તિ લઈ સૌ જંજાળ છોડી, શાંતિથી દેશમાં આવીને રહીએ અને પ્રભુભક્તિ અને સત્સંગ સત્કથામાં સમય પસાર કરીએ તેઓ કહેતા કે શ્રી અમૃતભાઈ પણ નિવૃત્તિ લઈને અહીં રહેવાનું કરે અને સ્વાધ્યાય વાચન કરે તો આપણે શાંતિથી સાંભળીએ એવું શેષ જીવન ગાળવાની ઇચ્છા છે.
તેઓ વવાણિયા, મુંબઈ અને રાજકોટ વચ્ચે ત્રણેક મહિના રહ્યા પછી વળી કરાંચી જવાનું થયું ત્યારે પણ શરીર બરાબર નહીં છતાં પણ કોઈને ખબર પડવા ન દીધી. વળી મનુનાં લગ્નમાં બે મહિનામાં દેશમાં આવવાનું થયું, પરંતુ શરીરે નબળાઈ ઘણી હોવા છતાં તે વિશે કાઈ ને કહે નહીં'. પછી ડો.