________________
૯૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
www
વાત
માટે વાર કરાવી
કહ્યું, પતિ આજે આ
ન્યાલચંદભાઈને બોલાવ્યા. તેમને મેં વાત કરી પણ તેઓ તબિયત દેખાડે નહીં'. ડૉક્ટર તે દિવસે ત્યાં રોકાયા. સવારે પરાણે તબિયત જેઈને સોજો છે એમ કહ્યું. પણ તેઓએ વિલાયતી દવા કરવાની ના પાડી. બધાએ ભેગા મળી વિચાર કર્યો કે બીજા ડૉક્ટરને બોલાવી તબિયત બતાવીએ. ઈજેકશન ચાલુ કરાવ્યાં અને જમવામાં માત્ર કેળાં તથા દૂધ શરૂ કરાવ્યાં, પણ તે અનુકૂળ ન આવ્યાં. શરદી થતાં તે બંધ કરી મગના દાણા પલાળી લેવાનું રાખ્યું. એમ એ દોઢ મહિના ઉપચાર થયા. કંઈક ઠીક લાગ્યું અને પછી કરાંચી જવાનો વિચાર કર્યો. - પિતાને ‘શ્રી આત્મસિદ્ધિજી’ની કેડ ઉતારવાની ઘણી ઈચ્છા હતી. પણ તે માટે કઈ મળ્યું નહીં'. ત્યારે મેં કહ્યું, “કૃપાળુદેવના પત્રોના ફોટા તૈયાર કરાવીએ.” તેમને તે વાત બહુ રુચી ગઈ. પણ કહે, “એ કેણ કરશે ? ?” મેં કહ્યું, “તમે ધારો તે ગમે તેમ કરીને તે કાર્ય પાર પાડે તેમ છે.” પોતે બીજે જ દિવસે શ્રી મણિભાઈ રેવાશંકરની પાસેથી પત્રો મંગાવ્યા ને તે આવ્યા એટલે તેમણે ભાઈ શાંતિલાલ હેમચંદને એ કામ સોંપ્યું. બત્રીસસ રૂપિયામાં આ કામ સરસ રીતે કરાવરાવ્યું. અને રૂપિયા બે હજારમાં કૃપાળુદેવનું શ્રી કાઉસગ મુદ્રાનું ચિત્રપટ (ખગાસન) પણ કરાવ્યું. કામ સારું થવું જોઈએ તેવી મૂળ ભાવના હોવાથી ખર્ચમાં સ કેચ કરતા નહીં'. દર્શન કરતાં જ આલાદ ઊપજે તેવું ચિત્રપટ હોવું ઘટે એવી એમના હૃદયની ભાવના હતી.
કૃપાળુદેવનું સાહિત્ય તેઓ વાંચતા થોડું', પણ વિચારતા ઘણું'. તેઓ વર્તનમાં ઉતારવાની દૃષ્ટિએ વાચન-ચિંતન કરતા. કરાંચીમાંના વિકટ સંજોગેની હું વાત કરું તો તેઓ કહે, “કસોટી સોનાની હોય છે. આપણે સોના જેવા થવું. પોતાના દોષ જેવા. આ વાંચો છે તેનો વિચાર કરો.” એમની જીવનદૃષ્ટિ આવા આવા ઉદ્દગારામાં અનેક વાર વ્યક્ત થતી. |
પોતે ગૃહવ્યવહારમાં ખાસ લક્ષ આપતા નહીં' એટલે કે વરચે આવતા નહી'. મનુભાઈનાં લગ્ન મુંબઈમાં કર્યા', પણ તેઓ તે કશામાં વચ્ચે પડતા નહીં'; કહેતા કે તમે રાજી રહા તેમ