________________
હ૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
તેમના સ્વભાવમાં એવું સૌજન્ય હતું કે સંપર્ક માં આવનાર વ્યક્તિનું મન ઠરતું'. તેમની ભાષામાં પણ કદી કર્કશતા કે કડવાશ આવતી નહી; સ્વાભાવિક મીઠાશ વ્યક્ત થતી. તેથી સાંભળનારને પ્રિય લાગે તેવું સત્ય વચન કહેતા. સરગમવિચં ગુયા1 એ એમનો સ્વભાવ થઈ પડયો હતો.
કરાંચીમાં પહેલી જ વાર સને ૧૯૪૭ માં માણસો ભાગ્યો ત્યારે ત્યાં અમુક દસબાર ઘર રહ્યાં હતાં. તે વખતે તેઓ પોતે પણ નીકળી નહોતા શકયા. એટલે મને થયું કે તેમને જમવાની અગવડ પડશે. સગવડ સચવાય નહીં તેથી તેમનું શરીર બગડે માટે મારે પણ જવું નથી, એમ વિચારી હું અને એક ડોશીમા પણ ત્યાં રહ્યા. પણ તેમનું લક્ષ તે મને કેમ ઓછી તકલીફ પડે તે જ રહેતું. એમની સ્વાભાવિક મૃદુતા ત્યારે વિશેષ દેખાઈ આવતી. એ યાદ કરતાં મારું હૃદય પૂજ્યભાવે તેમને નમે છે.
સને ૧૯૪૮ ના જાન્યુઆરીમાં બીજી વાર માણસે ભાગ્યા ત્યારે પણ હું ત્યાં રોકાઈ હતી. તેઓ ત્યાં નિશ્ચિતપણે રહેતા. “પ્રભુ પર ભરોસો રાખો; જે થવા ચોગ્ય હશે તે થશે,' એમ તેઓ ઘણી વાર કહેતા. ત્યારે દુકાનમાં કોઈ નહી હોવાથી જેટલો અને તેટલો માલ જાતે કાઢી નાખતા. આવા સંકટ સમયમાં પણ તેમની આવી જીવન રીતિને લીધે અમે આનંદપૂર્વક રહી શકતાં હતાં. - પ્રતિષ્ઠા થયા બાદ દર કાર્તિક પૂર્ણિમાએ વવાણિયા જન્મભુવનમાં મોટો ઉત્સવ રખાય છે. લગભગ હજાર પંદરસો માણસ ભેગા થાય છે. સવારમાં ભક્તિ, પૂજા આદિ વિધિ થયા બાદ ‘જ્ઞાન મંદિર’ વરઘોડો લઈ જવાય છે. ત્યાર બાદ જમણ અને બપોરના સ્વાધ્યાય અને પ્રભુનું ચરિત્ર વાંચવામાં આવે છે. તેથી મારે પૂર્ણિમા ઉપર વવાણિયા આવવાનું થયું ત્યારે તેમને કઈક ક્ષેભની લાગણી થઈ આવી. અમે રાત્રે બેઠાં હતાં, ત્યાં જવાની વાત નીકળતાં જ તેમની આંખ ભીની થઈ ગઈ. ત્યાર પછી વવાણિયા આવવા માટે નીકળતી વખતે પોતે દુકાન સુધી સાથે હતા; ત્યાં પણ છૂટા પડતી વખતે એવી જ સ્થિતિ થઈ આવી. જાણે કરાંચીમાં હવે રહેવાનું જ નહીં હોય તેમ અમને બંનેને