________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૮૯
સમાન દૃષ્ટિ રહેતી. સૌનામાં પ્રસન્નતા ઉત્પન્ન કરવી એ જ તેમનુ લક્ષ રહેતું. કત્યારે પણ કેાઈનું મન ન દુભાય તેની તેએ બહુ જ ચીવટ રાખતા. કેાઈનું પણ માઢું. વીલું દેખાય તે! એમને ચેન ન પડે; તેના મનનુ ં સમાધાન થયે જ તેમને શાંતિ થતી. લક્ષ્મીની પૂરી મહેર હતી. તેઓના અંતરમાં સૌ પ્રત્યે સ્વાભાવિક સમભાવ હતા. પ્રસંગે અવસરેાચિત્—વચિત્ તેથી પણ વિશેષ—યાના ઝરે તેમણે વહાવ્યા છે, મેાકળે મને આપી જાણ્યું છે—કોઈ ન જાણે તેમ. માન કે મેાટાઈની સ્પૃહા કી રાખી નથી. દાન કરવાની પાછળ મોટાઈ અતાવવાના ઉદ્દેશ કદી નહાતા; માનવી હૃદયને એ સ્વાભાવિક આવિષ્કાર હતા. પ્રભુ પરમકૃપાળુ દેવે ‘મેક્ષમાળા’માં સદ્ધર્મ નામક શિક્ષાપામાં દયા સંબ’ધી જણાવ્યું છે— “ જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસતાષ રહ્યાં છે ત્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી....” તે તેમના જીવનમાં ચરિતા થતું હતું.
આમ તેમનું જીવન ઘરમાં તેમ જ બહાર વ્યવહારમાં આવી સ્વભાવગત ‘ દયા’ની જ પ્રતીતિ કરાવે છે. અર્થાત્ પેાતાથી કોઈ ને ‘દુ:ખ, અહિત કે અસતેાષ' ન ઊપજે, એટલું જ નહીં પણ તેને સારા સંતાષ મળે, તેનુ હિત થાય, તેનુ દુઃખ દૂર કરીને પેાતાને આનંદ થાય તેવી રીતે વર્તવાની એમને ટેવ હતી.
તેમના મિત્ર શુકદેવ મને કહેતા, ‘ભગવાનલાલભાઈ સાચા સંત છે.’ શુકદેવ અને પેાતે જેલમાં સાથે હતા, પેાતાને અને તેમને સગાભાઈ જેવી લાગણી હતી. સત્યાગ્રહનુ કામ હરિદાસ શેડ વગેરે બધા સાથે જ કરતા. હિરદાસ શેઠની સાથે એક ઘર જેવા સંબધ હતા. વેલજીભાઈ, શ’ભુલાલભાઈ, પોપટલાલભાઈ, મેાહનલાલભાઈ અને રવજીભાઈ ખધા ભાગીદારામાં પરસ્પર પ્રત્યે ઘણા પ્રેમ હતા; જુદાપણું બિલકુલ નહોતું. ‘ મિલ્સ સ્ટાર’માં ગેાપાળજીભાઈ અને લાલાજી ભગવાનદાસ સાથે ત્રીસ વર્ષ ભાગીદારી ચાલી, પણ અન્યત્ર કવચિત્ જ જોવા મળે તેવા ભ્રાતૃભાવ, સુમેળ અને આદરભાવ કાયમ ટકી રહ્યા.
*સિધ ધારાસભાના સભ્ય અને લેાકપ્રિય નેતા.