SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી હોય છે. સંતાનોનું ભાવી જોખમ ભરપૂર બને છે. એટલે ધર્મપ્રેમીજનોએ તો પરદેશ છોડીને કાયમ માટે સ્વદેશમાં આવીને વસવાટ કરવો જોઈએ. જેથી જિનપૂજાદિ મજેથી થાય, સદ્ગુરુનો યોગ મળે, કલ્યાણ મિત્રોનો સંગ મળે. ૬૩ સ્વદેશ તે સ્વદેશ. પરદેશમાં પરાયાપણું. ગમે ત્યારે ત્યાંની સરકાર પહેરે કપડે તગેડી મૂકવાથી જિનમંદિરો પૂરાં જોખમમાં મુકાઈ જવાનાં. સ્વાલ : [૫] પોતાની પાસેની પ્રતિમાઓ નકરો લઈને કોઈને આપી શકાય ? તેમાં દોષ નથી ? જવાબ : ના.....યોગ્ય નકરો લેવાય તેમાં કોઈ દોષ જણાતો નથી. નકરાની રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવી. ખરેખર તો લેનાર વ્યકિતએ નકરાનો ખ્યાલ કર્યા વિના ખોબા ભરી ભરીને ધન આપીને પ્રતિમાજી લેવાં જોઈએ. કરતાં સંચાલન પ્રતિમાનાં દેરાસરોમાં નવા પ્રતિમાજી ભરાવીને મૂકવા છે કરવી એ જ યોગ્ય નથી શું ? નવાં ભરાવવાથી જૂનાં અપૂજ પડી રહે છે ! જવાબ : ભાઈ ! વ્યક્તિના ભાવો જો નૂતન પ્રતિમાજી માટે ઊછળતા હોય તો તેમ કરતાં તેને રોકી શકાય નહિ. નૂતન જિનબિંબની અંજનશલાકાનો લાભ મળે, તેમનાં પાંચ કલ્યાણકોની ઉજવણી હજારો લોકોને જોવા મળે, તેથી અનેક લોકો સમ્યગ્દર્શનાદિ પામે. નૂતન બિંબ કારીગરોને મોં માગ્યા પૈસા આપીને વિધિવત્ ભરાવાય તો તે બિંબ અત્યન્ત આકર્ષક અને આહ્લાદક બને તે સંભિવત છે. એટલે આ વાતનો આગ્રહપૂર્વક વિરોધ ન થાય. બાકી પ્રાચીન પ્રતિમામાં જે ભૂતકાલીન મહાસંયમી જૈનાચાર્યોના હાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ હોય, તેથી તેના અધિષ્ઠાયક જાગ્રત હોય.....એ બધા લાભો પણ ઓછા નથી. 37 “મૂળશુદ્ધિ પ્રકરણ” શાસ્ત્રમાં કહ્યું છે કે “નવીનવિશ્વષ્ઠરત્ सीदत्परकृतं विम्बपूजनं बहुगुणम् સવાલ છે ઉલ્લાસનો.....જેનો જ્યાં ઉલ્લાસ. પ્રાચીન પ્રતિમાજીઓ અપૂજ રહેતાં હોય તો તે વાતની પણ ઉપેક્ષા ન કરતાં, ધનવાન શ્રાવકોએ માર્ગ કાઢવો જોઈએ. ખેદની વાત
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy