SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ધાર્મિક વહીવટ વિચાર લગ્નાદિના જમણવારો તો ન જ થઈ શકે. વર્ષમાં કેટલાક જ દિવસો કામ જે દિલ્હીના પાર્લામેન્ટ-હાઉસમાં થાય છે. ત્યાં બાકીના દિવસોમાં જંગી આવક કરી આપવાની સંભાવના છતાં કદી લગ્નાદિ કાર્યો માટે ભાડે અપાતું નથી. માત્ર રૂપિઆની ભાષામાં દરેક વાત કરવી ન જોઈએ. વસ્તુની ગરિમા સચવાઈ રહે, પવિત્રતા જળવાઈ રહે એ પણ એક પ્રકારનું મહાધન છે. ઉપાશ્રયનું બાંધકામ એવું હોવું જોઈએ જેમાં સંયમજીવનનું સારું પાલન થાય તથા જીવદયા પળાય તેમ જ આરાધકોની સમાધિ પણ જળવાય, જેને કારણે સાધુ-સાધ્વીજીઓના સંયમજીવનને બાધા પહોંચે તેવું કશું ત્યાં બની શકે નહિ. (આ વાતની શહેરી શ્રાવકો દ્વારા જબરી ઉપેક્ષા થઈ છે.). V/S દા.ત. જીવજંતુ બરોબર દેખાય તેવા રંગની ટાઇલ્સ વગેરે જોઈએ. જમીન ઉપર બેઠેલાને પણ વ્યાખ્યાન શ્રવણાદિ કરતાં પવનની અનુકૂળતા મળે તેવી નીચી બારીઓ જોઈએ. દીવાલમાં જ અભરાઈ જેવાં કબાટો હોય જેથી જુદાં કબાટો ગોઠવતાં જગા રોકાય નહિ. ઘડા વગેરે મૂકવા માટે માળિયાં હોય. પૂંજી શકાય તે રીતનાં બારી-બારણાં હોય. (સ્લાઇડિંગવાળાં બારી-બારણાં કદી ન ચાલે). વાડો ભોંયરામાં હોય. તેનું મેલું ઉપાડીને વિસર્જન કરવામાં જિનશાસનની હીલના ન થાય તેની પૂરી ચિન્તા સાથેની અંદર જ વ્યવસ્થા હોય. આજુબાજુના લોકોને સૂગ ન ચડે તેવી માતરું, પાણી પરઠવવાની ખુલ્લી જગ્યાની અનુકૂળતા હોય. બાંધકામ કરતાં અડધી જગા પાછલા ભાગમાં ખુલ્લી પડેલી હોય જે ખુલ્લા વાડારૂપે કામ આવી શકે. વાડામાં રેતી ન પાથરવી જેથી ત્યાં જીવોનો ઉપદ્રવ ન થાય. માતરું પરઠવવાની જગમાં આઠ-દસ, ફૂઢ ઊંડાઈનો ખાડો હોય, જેમાં ઈટ-મટોડા કોલસા ભરીને ઉપર રેતી પાથરી હોય.આથી ૬'+૬' ની નાની જગામાં ય એક સાથે વીસ ડોલ જેટલું પાણી આરામથી-જયણાપૂર્વક પરઠવી શકાય. ચોમાસામાં ક્યાંય લીલ ન થાય, ઘાસ ઊગી ન જાય તેની પહેલેથી લેવા જેવી કાળજી બરોબર કરાઈ હોય. દક્ષિણ પશ્ચિમના પવનની બારીઓ હોય, જેથી સ્વાધ્યાયી, તપસ્વી સાધુઓને અનુકૂળતા રહે. એકાદ રૂમ
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy