________________
તમારાં વહાલાં બાળકોને છેવટે
ત્રણ વર્ષ માટે તો ‘તપોવન’માં મૂકો જ
દર જૂન માસથી શરૂ થતું સત્ર
ચારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાની-દસથી ચૌદ વર્ષની વયથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. ‘ગંદું’ કહેવાય તે બધું તેમના જીવનમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારરસી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમનાં સંતાનો ગણાય. જો તેમનું જ જીવનગુલાબ ખીલ્યું
કરમાઈ જાય તો એ માબાપોએ ક્યાં જવું ?ક્યાં રોવું ? શું આપધાત કરી નાખવો?
પોતાના ઘરમાં કે ગમે તેવા બૉર્ડિંગ વગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે, પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં માબાપો જ ટી.વી વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જો ફસાયાં હોય અને બૉર્ડિંગોના સંચાલકોને જ બાળ-સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો સંસ્કાર ત્યાં શી રીતે મળશે ?
તપોવનમાં ધાર્મિક અને વ્યાવહારિક - બન્ને પ્રકારનું શિક્ષણ છે. એ શિક્ષણ પણ ઊંચી ગુણવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય જ મુખ્યપણે નજરમાં રખાય છે. મોક્ષલક્ષ અને સદાચારપક્ષ એ તપોવનનું મુખ્ય તત્ત્વ છે. પ્રત્યેક બાળકને શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યન્ત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો અને દેવગુરુનો ભક્ત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને... અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને એ જ આ તપોવનનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિકતા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તેના તમામ કાર્યકર-ગણનું મંતવ્ય છે.
જો આ બધી વિચારણામાં અને એના આધારે ગોઠવાયેલા તપોવનના