________________
માળખામાં માબાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓના ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ પાંચથી બાર) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવીના ભવ્ય ઘડતરના આ કામમાં એને ક્યાંક અગવડતા પડે; એની ઘરેલુ સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ માબાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં અપાવવાનો નિર્ણય કરવો જ જોઈએ.
યાદ રાખો : લાડમાં કે લાગણીમાં માબાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ ત્રાહિમામ્ પોકારી જશે.
ના....હવે શા માટે ક્રિય્યાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કૉન્વેન્ટ-સ્કૂલમાં આપણાં બાળકો જાય?
V હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય.