SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ધાર્મિક વહીવટ વિચાર ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રન્થમાં વસ્ત્રાદિ અને કનકાદિ ગદ્રવ્યનો ભોગાર્ડ અને પુજાર્ય તરીકે વિભાગ દેખાડેલો છે. તેથી શ્રા.જી.ના વૃત્તિકારે પણ આ જ અભિપ્રાયથી એ બેને જુદા પાડ્યા છે એમ માનવું જોઈએ. એટલે કે ભોગાત્વ અને પૂજાહત્વ એ બેને અહીં વિભાજક ઉપાધિ તરીકે સ્વીકારવાં જોઈએ. - પણ, આ કલ્પના યોગ્ય લાગતી નથી, કેમ કે આ બે ને વિભાજક ઉપાધિ તરીકે માનવાનું બીજ શું ? દ્રવ્યસપ્તતિકાકાર વગેરેએ કરેલું વિભાજન આનું બીજ ન બની શકે, કેમ કે શ્રા. જી. વૃત્તિના વૃત્તિકાર એના કરતાં ઘણા પૂર્વકાળમાં થઈ ગયા છે કે જ્યારે ગુરુદ્રવ્યમાં ભોગાહત્વ અને પૂજાહન્દુ ધર્મો અપ્રસિદ્ધ હતા. શ્રોતાવર્ગમાં અપ્રસિદ્ધ એવા પણ ધર્મોનો અભિપ્રાય કદાચ ગ્રન્થકારના મનમાં ઉદ્ભવેલ હોય અને એનાથી આ વિભાજન કર્યું હોય, તો એનું સીધી કે આડકતરી રીતે પણ સૂચન એમણે કર્યું જ હોય.III II I 'પ્રશ્ન - શ્રા. જી. વૃત્તિકારે આ બેનું પૃથર્ ઉપાદાન જે કર્યું છે એના ફલિત તરીકે જ દ્રવ્યસપ્તતિકાકારે આ વિભાજન કર્યું છે. માટે દ્રવ્યસપ્તતિકાના શબ્દો જ એનું બીજ નથી શું ? ઉત્તર - દ્રવ્યસપ્તતિકાકારે શ્રા. જી. વૃત્તિમાં થયેલા આ પૃથગુ ઉપાદાનના ફલિત તરીકે આવા વિભાગો નથી જણાવ્યા.પણ હીરપ્રશ્નોત્તર અને શ્રા. જી વૃત્તિનાં વચનોનો પરસ્પર જે વિરોધ ઊભો થાય છે તેનું વારણ કરવા કહ્યા છે. હીરપ્રશ્નોત્તરના ૩ પ્રશ્નોત્તરોનો ઉલ્લેખ કરીને પછી તરત જ ૩ ત્રાપ તૈ# #ifzવન્યાન भोज्यभोजकत्वसंबंधेनौधिकोपधिवत्पूजाद्रव्यं न भवति, पूज्यपूजासंबंधेन तु તદ્રવ્ય મવચેવ, અન્યથા શ્રાદ્ધનીતન્યવૃત્તિ: વિયતે | ઇત્યાદિ જે જણાવ્યું છે તેના પરથી આ સ્પષ્ટ છે. હીરપ્રશ્નોત્તરમાં સુવર્ણાદિનો ગુરુદ્રવ્ય તરીકે નિષેધ કરેલો છે જ્યારે શ્રાજી.ઘૂ. માં એનો ગુરુદ્રવ્યમાં સમાવેશ કરેલો છે. એટલા આ બેમાં ભાસતા વિરોધને દૂર કરવા દ્રવ્યસપ્તતિકાકારે બે વિભાગ પાડ્યા. હીરપ્રશ્નોત્તરમાં સુવર્ણાદિનો ગુરુદ્રવ્ય તરીકે જે નિષેધ છે તે ભોગા ગુરુદ્રવ્ય તરીકે છે, પૂજાઈ ગુરુદ્રવ્ય તરીકે નહીં. શ્રા. જી. વૃત્તિમાં એનો ગુરુદ્રવ્યમાં જે સમાવેશ કર્યો છે તે પૂજાઈ ગુરદ્રવ્ય તરીકે છે. માટે આ બેમાં કોઈ વિરોધ રહેતો નથી. આવી વ્યવસ્થા દ્રવ્યસપ્તતિકાકારે
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy