SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધાર્મિક વહીવટ વિચાર વેટિકન સિટીના કેથોલિક ધર્મગ પોપ સાથે છે. જે આખા વિશ્વની અગૌરવર્ણ અને અ-ઈસાઈધર્મી તમામ પ્રજાઓને ધરતી ઉપરથી નાબૂદ કરવાના કે સાવ નબળી કરી દેવાના સંકલ્પને વરેલા છે. આ બાબતો. ખૂબ ભેદી અને ગુપ્ત છે. | સુવિદિત ગીતાર્થ ધર્મગુરુનો સંબંધ તારક તીર્થંકરદેવની સાથે જોડાયેલો છે. ટ્રસ્ટીઓમાં પડતા મતભેદોનો સાચો ઉકેલ તેઓ જ લાવી શકે. ખરેખર તો ટ્રસ્ટ, ટ્રસ્ટી, બહુમતવાદ વગેરે પોતે જ ‘પોપની’ ગોઠવાયેલી મશીનરી છે. આમાં ગીતાર્થ ધર્મગુરુ સાથે સંબંધ એટલે વહી જતી ગટરમાં અત્તરનું ટીપું....પાયામાં જ બધું બોગસ છે ત્યાં પાયો જ સુધારવાની ખરેખર તો વાત કરવી જોઈએ. . સવાલ : [૧૫૫] કમિશ્નર અને સખાવતી ટ્રસ્ટની અંદર બી.સી. માણસને મૂકવાની બાબતને પડકારવા માટે આપણે શું કરવું જોઈએ? જવાબ : શાસ્ત્રકાર પરમર્ષિઓ જણાવે છે કે “જે ક્ષેત્રમાં રાજા ન હોય ત્યાં સાધુઓએ વિચરવું નહિ.” આજે તો સમગ્ર ભારતમાંથી રાજાશાહી ખતમ થઈ છે. રાજા પાસે હજી ન્યાય મળે. આજની લોકશાહીમાં ન્યાય લગભગ શક્ય નથી. કોર્ટમાં કાયદાનું શાસન છે, ન્યાયનું નહિ. લોકસભા જો પછાતવર્ગના લોકોને પૂજારી વગેરે તરીકે લેવાનો કાયદો બહુમતીથી પસાર કરે તો કોર્ટ કાયદા પ્રમાણે ચુકાદો આપે. આમાં કોઈ દલીલ ચાલી શકે નહિ. માટે સૌ પ્રથમ તો એ કાયદાને જ અદાલત અને લોકઅદાલતમાં પડકારવો જોઈએ. લોકસભામાં જે સભ્યો બને છે તે ચૂંટણી પ્રથાથી ચૂંટાઈને બને છે. બહુમતી મેળવનારો માણસ ચૂંટાતો હોય છે. હલકા લોકોની સામાન્યતઃ બહુમતી હોય છે. તેમને ખૂબ પૈસા ખવડાવાય, છેલ્લી રાતે ખૂબ દારૂ પિવડાવાય, લાંચ અપાય તો જ તે હલકા લોકોના મત મળે. આવું ભ્રષ્ટ ચૂંટણી તન્ન હોવાથી “સારા” માણસો લોકસભામાં કે વિધાનસભામાં જવાનું પસંદ કરતા નથી. આથી “હલકા” લોકો પોતાની મનમાની કરે છે. આ રીતે આખી લોકશાહી ગુંડાશાહી બની છે. નબળા લોકોનું
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy