________________
ધાર્મિક વહીવટ વિચાર
૧૨૦
પહેલાં આટલું જાણવું જોઈએ કે હવે જૈન કુટુંબો ગામડાઓમાં વસવાટ કરવા તૈયાર થતાં નથી : તેનાં કારણો આ છે. (૧) ગામડાની દીકરીને (જડ ગણાય તેથી) મુરતીઓ ન મળે. મુરતીઆને કન્યા ન મળે. (૨) બાળકનો સારું શિક્ષણ ન મળે. (૩) વાણિયાની કોમને બી.સી. વગેરે પ્રકારના લોકો અનેક રીતે સતાવે છે. ઉધારિયું લઈ જાય, બિલોની રકમ ભરે નહિ, ૨મારપીટ કરે, પરેશાન કરે. (૪) સારા સાધર્મિકોનો સહવાસ ન મળે. (૫) ધંધાપાણી ઝાઝાં ચાલે નહિ. (૬) મોટી માંદગીમાં ડૉક્ટરોની વિશિષ્ટ સગવડતા ન મળે.
સવાલ : [૧૦૧] જૈનોને આર્થિક રીતે વધુ ને વધુ મદદગાર થવાનો ઉપદેશ જૈન શ્રીમંતોને આપવો ન જોઈએ ?
જવાબ : ભાઈ ! દરેક વસ્તુ મર્યાદામાં શોભે. હાલમાં ચારે બાજુથી વિવિધ રીતે નબળા જૈનોની સાધર્મિક ભક્તિ થઈ જ રહી છે. જો આ વાતને વધુ ઝોક અપાશે તો
અમારો તો કદાચ એવા
એવા જૈનો પાંગળા બનવા લાગશે.
જૂના ગિજ
કેટલાક માંગણીઓ બની જશે. આપણા જ હાથે આપણે તેમને માયકાંગલા નહિ બનાવવા જોઈએ.
સવાલ : [૧૦૨] કેટલીવાર ‘સાચા’ ને બદલે ‘ખોટા’ સાધર્મિકો ગેરલાભ ઉઠાવી લે છે તેનું શું કરવું ?
જવાબ : આ બાબતમાં કાળજી તો પૂરી કરવી જોઈએ. છતાં એવું તો ન બનવું જોઈએ કે આવી કલ્પનાથી ‘સાચો’ પણ મરી જાય. અપમાનનો ભોગ બની જાય.
સો વ્યક્તિમાં એંશી તો હંસલા જ મળશે. વીસ કાગડા ય આવી જાય. પણ ‘વીસ’ જેવાઓની બધે શકયતા કલ્પીને એંશી હંસલાઓનેતેમાંના એકાદને પણ-અન્યાય થઈ જવો ન જોઈએ.
‘ખોટો' ફાવી જાય તે કરતાં ‘સાચો’ રહી જાય તે દોષ વધુ મોટો છે.
સવાલ : [૧૦૩] તમામ સાધુ-સાધ્વીઓએ ઉપદેશમાં સાધર્મિકભક્તિને જ પ્રધાનતા આપવી ન જોઈએ ?
જવાબ : પૂર્વના કાળ કરતાં અત્યારે સાધર્મિક-ભક્તિનો ઉપદેશ સવિશેષ અપાય જ છે. એના પ્રભાવને શ્રીમંત જૈનો દર વર્ષે સારી એવી રકમ-ગુપ્ત રીતે-સાધર્મિક ભક્તિમાં વાપરે પણ છે.