________________
પોટલા સાથે પ્રવેશ કેમ મળે ? શ્રીમંત એટલે શ્રીમંતાઈનો અહમ્, ધન-માનનું ગૌરવ, અર્થાત “હું.
કર્મસત્તાના આધારે “હું” ફુગ્ગાની જેમ ફૂલી જાય. ક્યાં તો સુખથી ફૂલે છે, અને દુઃખથી હવા નીકળી જાય તેમ સંકોચાઈ જાય છે. અર્થાત્ ક્ષોભ પામી જાય છે. સંસારના તંદ્રાત્મક સુખ દુઃખાદિમાં હું કેન્દ્રમાં રહે છે, તેને કર્મચેતના વીંટળાઈને ભરડો લે છે. પછી તે વિવિધ પ્રકારની સુખેચ્છામાં, વાસનામાં, આશામાં, તૃષ્ણામાં રહે કે ક્રોધાદિ દોષોમાં રહે, કે મિથ્યાત્વાદિ અજ્ઞાનરૂપે જીવે તે ભરડો એ જ આવરણ છે.
કર્મચેતનાનો આ ભરડો ધર્મના સાધનથી જ ખાળી શકાય તમે છે, પ્રાણીમાત્ર કંઈ ને કંઈ ક્રિયા કરતા હોય છે. તે ક્રિયા ઈચ્છાએ કે અનિચ્છાએ થતી હોય છે, જેમકે શ્વાસ લેવો, લોહીનું ભ્રમણ તે સ્વાયત્ત ક્રિયા છે, ક્ષુધા, તૃષા, નિદ્રા, શરીરની ધર્મરૂપ ક્રિયા છે, તેવી તે ક્રિયાઓ સ્વાધીન નથી. તે તે ક્રિયા સાથેની વ્યાકુળતાને કારણે ક્રિયા કર્મ બની જાય છે, અને સાવધાની અર્થાત્ ઉપયોગ એ ધર્મ બને છે. કર્મચેતનાના ભરડામાંથી મુક્ત થવાનો ઉપાય ઉપયોગની શુદ્ધિ અર્થાત્ જીવનની શુદ્ધિ છે. તેમાં વ્યવહારની અને ધર્મકાર્યની વર્તનામાં અંતર નથી. ધર્મ વ્યવહારમાં, કે ક્રિયામાં સમતા, સત્ય, સંતોષ, સદ્વર્તન, શિસ્ત કે શૌચ અત્યંત આવશ્યક છે. વ્યવહારમાં તેનાથી વિપરીત વર્તના હોય તો ધર્મ જીવનમાં પ્રગટ થતો નથી. કોઈ વાર તે દંભરૂપે પરિણમે છે.
ભગવાન વ્યાસજીએ પણ આમ જ કહ્યું છે. “ઊર્ધ્વબાહો વિરોચ્ચેષ ન ચ કશ્ચિત કૃણોતિ મામ્ ધમત અર્થ% કામશ્ચ કિં સધ ન સેવ્યતે.'
“હું હાથ ઊંચા કરી પોકારી પોકારીને કહું છું, પણ મારું કોઈ સાંભળતું નથી, કે જે અર્થ કામ સુખ અને સમૃદ્ધિની પાછળ પડ્યો છે, તે તને ધર્મથી જ પ્રાપ્ત થશે; તો એવા ધર્મનું સેવન કેમ કરતો નથી ?"
જીવને કર્મવિવશતા આવા બોધવચનોના ગ્રહણમાં ભારે અંતરાય
કરે છે; જગતના કોઈ પદાર્થના સુખની ઈચ્છાને તે કાલ પર મુલત્વી રાખતો નથી. ધર્મને તે ઘણા જન્મો સુધી મુલત્વી રાખે છે. કેવું આશ્ચર્ય!
શરીરમાં રોગ થવો કે ઈચ્છિત ભોગની સામગ્રી ન મળવી; વૃદ્ધાવસ્થાનાં દુઃખો કે મૃત્યુનાં દુઃખોથી જગતમાં કોણ અપરિચિત છે? આવી પુનરાવર્તનની ઘટમાળ તે કર્મચેતનાનો વિસ્તાર છે. પ્રસ્તુત ગ્રંથમાં તેને વિવિધ પાસાઓથી તપાસતાં માલુમ પડશે કે ધર્મચેતનારહિત જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક સમયમાં, દરેક પરિણામમાં કે સંબંધોમાં કર્મચેતનાએ સ્વરૂપને અણછતું રાખ્યું છે અને મહા અનર્થ કર્યો છે. ચારે ગતિમાં ઈદ્રિયવિવશતા, વૃત્તિવિવશતા, અને અતંરાય ઊભા કર્યા છે. સમજે તો આ જ મહાદુઃખ છે, તે દુઃખકારક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શિષ્ટજનોએ નિષ્કારણ પ્રેમવશ દર્શાવેલા સ્વધર્મમાર્ગે પ્રયાણ કરવું તે આપણું સર્વતોમુખી શ્રેય છે.
- ઈતિ શિવમ્. સુખ બે પ્રકારના છે. પ્રત્યક્ષ અને પરોક્ષ છે. સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષના સાધન છે તેનાથી પુણ્યનો બંધ થાય છે, અને પાપનો નાશ થાય છે, ગુણ શ્રેણિ પ્રમાણે. જો આરાધક ચરમશરીરી હોય તો તે સર્વ કર્મનો નાશ કરી મોક્ષમાં જાય છે. અને જો તે જ ભવે મોક્ષે જનારા ન હોય તો દેવલોકમાં જઈ ત્યાં ના સુખ ભોગવવા પડે છે. છતાં તેટલો મોક્ષ તો અટકે છે.
આ સ્વર્ગના સુખ માનવ જીવનમાં શકય નથી અને મોક્ષના સુખ તેનાથી પણ દૂર છે. આ બંને ક્ષેત્રની આશામાં દુઃખ ભોગવવાનું? ના, આરાધનાના ઉત્કૃષ્ટકાળમાં આરાધક પ્રશમનું સુખ ભોગવે છે. જે પ્રત્યક્ષ છે.
- શ્રી ઉમાસ્વાતિ આચાર્ય
૧૮૮
૧૮૯