________________
શુભ નામ કર્મ :
મન આદિ યોગોની સરળતા, અન્ય વ્યક્તિઓ સાથે સંવાદિતા રખાવવી, રાખવી અને યોગ્ય માર્ગદર્શન આપવું. શુભ નામકર્મમાં સર્વ શ્રેષ્ઠ નામકર્મ તીર્થંકર નામકર્મ મનાય છે. જગતના સર્વજીવો પ્રત્યે અત્યંત અનુકંપા ભાવ અને સર્વજીવો સાચું સુખ પામે તેવી ઉચ્ચ મનોકામના અને તેને અનુષાંગિક અન્ય પ્રવૃત્તિઓ, જેમ કે વીતરાગ કથનમાં શ્રદ્ધાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે આદર, મહાવ્રતોનું પ્રમાદ રહિત આચરણ, ભોગોથી વિરક્ત-દાનાદિ પ્રવૃત્તિનું સેવન, ત્યાગ-વૈરાગ્ય-તપ, મુનિ વગેરેની સેવા, અરિહંતાદિની ભક્તિ અને મોક્ષાર્થની સાધના કરવી-કરાવવી વગેરે છે. (૦) ગોત્ર-નામ-કર્મ :
તે ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ એમ બે પ્રકારે છે. ગોત્ર નામકર્મની ઉપમા :
કુંભાર બે પ્રકારના ઘડા બનાવે છે. તેમાં એક ઘીનો તે સારો મનાય છે અને દારૂ માટે બનતો તે હલકો ગણાય છે તેમ ગોત્ર વિષે
કરવો પડે છે, જન્મ જીવન અને મરણ એ આયુષ્યકર્મનું કારણ છે. જીવ વસ્ત્રની જેમ શરીરને ત્યજીને નવાં નવાં શરીર ધારણ કરે છે. ૦ ઉપમા :
કારાગૃહની સજા જેવું આ કર્મ છે. જેટલા સમયની સજા હોય તેટલો સમય રહેવું પડે. તે પ્રમાણે આયુકાળ પૂરો કરવો પડે છે. વહેલા છૂટવું હોય કે વધુ રહેવું હોય તો તે પ્રમાણે થઈ શકતું નથી. ૦ કારણ : આયુષ્ય કર્મ ગતિને અનુસરે છે, તેના ચાર પ્રકાર છે. નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ ગતિનું આયુષ્ય (૧) નરકાયુષ્યકર્મ :
અતિ આરંભ-સમારંભના મનના હિંસાત્મક સંકલ્પો પરિગ્રહ, બહારની વિપુલ સાધન સામગ્રી, તે બંને માટે જે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરવી અને તે પદાર્થો મેળવ્યા પછી તેમાં તીવ્ર આસક્તિ રાખવાથી નારકની અધોગતિનો આયુષ્ય બંધ થાય છે. (ર) તિર્યંચ આયુષ્ય કર્મ :
છળ-પ્રપંચ-માયાશલ્ય, કુશીલ જેવા દોષોના સેવનથી અને તેમાં યથાર્થતા માનવી વગેરેથી તિર્યંચ અર્થાત્ સૂક્ષ્મ યોનિથી માંડીને એકેંદ્રિયથી તિર્યંચ પંચેન્દ્રિય સુધીનાં સ્થાનોમાં જીવને જન્મ ધારણ કરવો પડે છે. (૩) મનુષ્ય આયુષ્યકર્મ :
આરંભ પરિગ્રહ હોવા છતાં તેમાં સુખબુદ્ધિની મંદતા અને ચિત્તની સરળતા, ઉદારતા પરોપકારાદિ પ્રવૃત્તિઓ કરવી, વ્રત સંયમાદિ આચરવાં; શીલ પાળવું વગેરે મનુષ્યની ઉત્તમગતિ ધારણ થવાનાં કારણો છે. (૪) દેવ આયુષ્યકર્મનાં કારણો :
અહિંસાદિ મહાવ્રતોનો અભ્યાધિક આચાર, કારણવશ પરાધીનપણે સંયમાદિ પાળે અથવા જ્ઞાનરહિત કે નિદાનસહિત બાલાપ આચરે, કઠોર સાધના કરે, તપથી તપે, તેમાં પરિણામોની ઉજ્જવળતા હોવાથી દેવગતિનું આયુષ્ય બંધાય છે.
• ઉચ્ચ ગોત્ર નામકર્મબંધનું કારણ :
પોતાના ગુણોને ઢાંકવા અને દોષોને પ્રગટ કરવા. અન્યના ગુણોની પ્રશંસા કરવી અને દોષોને પ્રગટ ન કરવા. કુળનો ગર્વ ન કરવો અને ગુણીયલ કે પૂજય વ્યક્તિઓ પ્રત્યે આદર-માનપૂર્વક જોવું. ૦ નીચ ગોત્ર નામકર્મબંધનું કારણ :
પોતાના કુળનો અહંકાર કરવો, અન્યની નિંદા કરવી, પોતાની આત્મપ્રશંસા કરવી અને અન્યના દોષો છતા કરવા.
પ્રથમના ઉચ્ચ કુળનાં લક્ષણો છે તે મેળવવાના કારણોનું સેવન કરવું અને નિરાભિમાની રહેવું. ૦ આયુષ્ય કમવરણ :
પ્રાણી માત્ર જીવનકાળ દરમ્યાન એકવાર આયુષ્યકર્મને બાંધે છે તે અનુસાર જે ગતિમાં જીવ જાય ત્યાં તેને તે આયુષ્યનો કાળ પૂર્ણ
૧૪
૧૭૫