SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) મિથ્યાદર્શન-મિથ્યાષ્ટિ, વિપર્યાય બુદ્ધિ છે. જીવાદિ તત્ત્વોની અસમજ, અશ્રદ્ધા અને તર્યાત્મક વલણ, ગુણાવલોકન કર્યા વગર સર્વ પક્ષોની-ધર્મોની વિગતને સમાન ગણવી કે ખંડન કરવું. પોતાનો મત અસત્ય હોવા છતાં તે સાચો છે તેવો દુરાગ્રહ રાખી નિરૂપણ કરવું. સતુદેવ-ગુરુ-ધર્મમાં અશ્રદ્ધા અને સંદેહ. મોહની પ્રબળતા અને અજ્ઞાનતા. આ સર્વ કારણો ક્લેશ-કષાયરૂપ હોવાથી મહાબંધનાં કારણો છે. પ્રકૃતિ : શાસ્ત્રકારોએ કર્મપ્રકૃતિને લાડુની ઉપમા આપીને સમજાવ્યું છે. લાડુમાં સૂંઠ, ગળપણ, ઘી, વજન વગેરે હોય છે. તેમાંની સુંઠ વાયુનો નાશ કરે છે તેમ કર્મપ્રકૃતિથી આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોનો ઘાત થાય છે. સુંઠમાં જેમ શક્તિ છે તેમ કર્મપ્રકૃતિમાં પણ એવી શક્તિ છે કે જીવના ક્રોધાદિ જેવા પરિણામ થાય તે પ્રમાણે પરિણમીને આત્માના ગુણોનો તે નાશ કરે છે. આવી ભિન્ન ભિન્ન શક્તિનો બંધ તે કર્મ પ્રકૃતિ છે. સ્થિતિ : વિવિધ પદાર્થોનો બનેલો લાડુ તે પદાર્થોના સંયોગ પ્રમાણે અમુક સમય સુધી રહે છે અને પછી બગડી જવાથી પોતાના ગુણને છોડી દે છે તેમ, કર્મસ્થિતિ અમુક કાળ જીવ સાથે રહીને પછી પોતાના સ્વભાવને છોડીને પુદ્ગલોમાં ભળી જાય તે સ્થિતિબંધ છે. રસ-અનુભાગ-બંધ : લાડુમાં મધુરરસ અથવા મેથી કે સૂંઠનો રસ છે તેમ કર્મમાં શુભ-અશુભ રસ અલ્પાધિક હોય છે, તે પ્રમાણે કર્મ શુભ કે અશુભ ફળરૂપે પરિણમે છે તે રસબંધ છે. પ્રદેશબંધ : લાડુમાં જેમ પદાર્થો મળીને અમુક વજન-જથ્થો હોય છે તેમ કર્મ પુદ્ગલપરમાણુઓનો જથ્થો આત્મપ્રદેશ સાથે સંયોગમાં આવે છે તે પ્રદેશબંધ છે. મન, વચન, કાયાના શુભ-અશુભ યોગોની વ્યાપારવૃત્તિ વડે પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. ક્રોધાદિ કષાય વડે રસ અને સ્થિતિબંધ થાય છે. પ્રથમ પ્રકાર કર્મફળ આપવામાં શિથિલ હોય છે. કષાયનો રસ ભળે ત્યારે તે કર્મ નિકાચિત અને સ્થિતિવાળું બને છે. પ્રથમ પ્રકાર ઠર્યા વગરના લાડુ જેવો ચિકાશ વગરનો છે, બીજો પ્રકાર ઠરેલા-ચીકાશવાળા લાડુ જેવો છે. કષાયયુક્ત કર્મ, તીવ્રતાના કારણે નિકાચિત હોય છે, તે કર્મો ભોગવવાથી જ છૂટાય છે. ૦ કર્મબંધ થવાનાં કારણોની સમીક્ષા : શ્રી ઉમાસ્વાતિ ભગવાને “તત્ત્વાર્થસૂત્ર'માં નિરૂપણ કર્યું જીવ મિથ્યામતિથી થોડો ખસે, કંઈક ધર્મની રુચિ થાય ત્યારે મિથ્યાત્વ મોળું પડી જીવ ઘણા દીર્ઘકાળ પછી મિથ્યાત્વ નામક પ્રથમ ગુણસ્થાનમાં આવે છે. જૈનદર્શનમાં મુક્તિનાં ચૌદ સોપાન છે. તેમાં ચોથું સમ્યગુદર્શન-જ્ઞાન એ અગત્યનું અને બીજરૂપ છે. અહીંથી મુક્તિનું પ્રવેશપત્ર મળે છે. માટે મિથ્યાત્વ એ મહાઅજ્ઞાન મનાયું છે. સદ્ગુરુબોધ દ્વારા મિથ્યાત્વ ટળે છે. (૧) મિથ્યાત્વરૂપ-મિથ્યામતિરૂપ ચેતના : સામાન્યતઃ સંસારી જીવ અજ્ઞાનમાં વર્તે છે. તેમાં મિથ્યામતિ ભળે છે ત્યારે અજ્ઞાન ઘેરું બને છે તેથી જીવ સતુને અસતુ જાણી પરમાં સ્વ બુદ્ધિ કરી દેહભાવે દેહને ત્યજતો જાય છે અને નવા દેહ ધારણ કરતો જાય છે, આ જન્મ-મરણ દુઃખરૂપ છે તેવું મિથ્યામતિ જણાવા દે નહિ તેવું તેનું પ્રભુત્વ છે. દેહ વડે, ઈદ્રિયો વડે, જગતના પદાર્થો વડે સુખમળે છે તેવો ભાસ ઉત્પન્ન કર્યા કરે છે. મિથ્યામતિનું આ ક્ષેત્ર ઘણું વિશાળ છે. પોતાનું નથી તેને પોતાનું મનાવવામાં અને પોતાનું છે તેનું વિસ્મરણ કરાવવામાં આ મિથ્યામતિ કુશળ છે. વળી તેની ચાલ એવી ભૂલભૂલામણી જેવી છે કે અનંતકાળ જવા છતાં ભલભલાં નવપૂર્વી ધ્યાની તપસ્વી સાધકો કથંચિત્ ચૂકી ગયા છે. તો સંસારી જીવોનું ત્યાં શું ગજું? સ્ત્રી, પુત્ર, મિત્ર, પરિવાર વડે, વ્યાપાર, ધન, મોટાઈ વડે, પંચેન્દ્રિયના અનેક પ્રકારના વિષયો વડે, મનની કલ્પનાઓ વડે, સત્તા છે. ‘મિથ્યાદર્શનાવિરતિપ્રમાદકષાયયોગાબંધહેતવ:' - અધ્યાય-૮, બ્લોક-૧ ૧૫૮ ૧પ૯
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy