SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ યથાર્થ છે, પણ લોભવશ હવાતિયાં મારે છે. લોભ વડે વાસ્તવમાં તો તે અંતરાય જ ઊભા કરે છે. નવ-નોકષાય કષાય જેવા પરિણામોનું કાર્ય - નોકષાય નવ પ્રકારે છે. તે કષાયની સાથે જ જીવે છે; છતાં તેનું પોતાનું પરિણમનરૂપ કાર્ય છે. હાસ્ય - કોઈ દુઃખી થાય તેવી કટાક્ષયુક્ત કે હાંસીયુક્ત વાણીનો દુર્વ્યય કરવો, તેવું હાસ્ય કરવું અને કરાવવું તે હાસ્ય નામનું મોહનીયનું કર્મ છે. જે વાણીવ્યાપારથી નિર્દોષ આનંદ મળે અને આત્મશક્તિ વિકસે તે નિર્દોષ સુખ છે. રતિ-રાગ :- આ પ્રકૃતિથી ચેતન કે અચેતન પદાર્થો પ્રત્યે જીવને આસક્તિ રહે છે. અરતિ-દ્વેષ-અપ્રીતિ - આ કર્મપ્રકૃતિના ઉદયથી જીવનાં પરિણામમાં સહજતા કે અમીદ્રષ્ટિ રહેતી નથી પણ દ્વેષ કે અપ્રીતિ થાય છે. શોક : અનિષ્ટ પદાર્થના યોગથી કે પ્રતિકૂળ સંયોગમાં શોક થવો તે આ કષાયનું લક્ષણ છે. દુર્ગચ્છા-તિરસ્કાર : કુરૂપ, મલિનગાત્ર, અશુભ પદાર્થો કે સાધુ-સંતોના અસ્નાનાદિ પ્રત્યે તિરસ્કારવૃત્તિ થવી તે કષાયનાં પરિણામ કર્મબંધનનું કારણ છે. ભય પ્રાણીમાત્ર ભયથી ગ્રસિત છે. રોગનો, મૃત્યુનો ભય તો તેને સદા સાલે છે, તે ઉપરાંત ધનાદિના લૂંટાઈ જવાનો ભય હોય ભય તે આત્માના અસ્તિત્વની શ્રદ્ધા-શક્તિને પ્રગટ થવા દેતો નથી. વેદ : સ્ત્રીવેદ-સ્ત્રીદેહે પુરુષ વિષેની કામના. પુરુષવેદ-પુરુષદેહે સ્ત્રી પ્રત્યેની કામના. નપુંસકવેદ-સ્ત્રી-પુરુષ બન્ને પ્રત્યેની કામના. પૂર્વના આવા કર્મોનો ઉદય થતો રહે છે અને, વર્તમાનમાં આવા નવ પ્રકારના કષાયો કર્મબંધનને આકર્ષે છે. તેનાથી મુકત થવાનો ઉપાય માત્ર આત્મજ્ઞાન છે. • ક્રોધમુક્ત કષાયનાં પરિબળો : ક્રોધનું રૂપ પ્રગટ છે, આગની જેમ ભભૂકે છે, પૂરાયે શરીર સંસ્થાનમાં ક્રોધના વેગની અસર મુખાકૃતિની વિકૃતિ, હૃદયના ધબકારા, વાણીમાં આક્રોશ, નાકના નસકોરાનું ફૂલવું અને દૃષ્ટિમાં ઝેર, આ પ્રકારે ક્રોધની વૃત્તિ દરેક ઈદ્રિયોમાં વ્યાપી જાય છે, અને પોતાનું સ્વરૂપે પ્રગટ કરી લે છે. અજ્ઞાની જીવ ક્રોધ કર્યા પછી પાછો પોતે કેવી તાકાતવાળો છે તેવા વિકલ્પો કરી હકીકતને વાગોળે છે અને અહંને પુષ્ટ કરે છે. તેને ખબર નથી કે ક્રોધ શરીરની શક્તિને, પાચનની પ્રક્રિયાને, લોહીના ભ્રમણને ખરાબ અસર કરે છે. જીવને તો બેહાલ કરીને અધોગતિમાં કે તિર્યંચગતિમાં ધકેલી દે છે. ક્રોધ સમયે જીવ ભાન ભૂલી જાય છે, માતા-પિતા, વડીલનો વિવેક પણ જાળવી શકતો નથી. પુત્ર, મિત્રના પ્રેમને ઠોકર મારે છે, મરું કે મારું એવા ઉત્તેજિત ભાવમાં બંધનને નોતરે છે, આ થઈ ક્રોધના વ્યકતપણાની વાત. - ઘણીવાર એવું બને છે લોકલાજે, દાઝે કે સ્વાર્થ કાજે માણસ ક્રોધ કરી શકતો નથી. અબોધતા કે લાચારીથી ક્રોધને દબાવે છે. જેમકે વડીલના ડરથી કે લોક-લાજથી, અથવા કોઈ અધિકારી પાસેથી ધનાદિનો લાભ મળતો હોવાથી, તે તે પ્રસંગોમાં માણસ ક્રોધ કરતો નથી, પણ અંદરમાં, મનમાં એમ થઈ આવે છે કે મારું કે મરું. આમ તે ક્રોધનું શમન નહિ પણ દમન કરે છે. દમન કરેલો ક્રોધ વિકલ્પરૂપે લાંબો ચાલે છે. માણસ એના વિચારથી મુક્ત થઈ શકતો નથી, એટલે દુઃખી થઈને ક્રોધનો સંગ્રહ કરે છે. પ્રકૃતિમાં ક્રોધનો સંગ્રહ પણ વિકૃતિ જ પેદા કરે છે. ભર્તુહરિ રચિત શ્લોકનો ઉપદેશ છે કે, “ભોગે રોગભયં કુલે સ્મૃતિભયં વિત્ત નૃપાલાર્ભય, માને દૈન્યભય બલે રિપુભય રૂપે તરુપ્યાભયં, શારો વાદભય ગુણે ખલભય, કાયે કૃતાંતાદ્ભય, સર્વ વસ્તુ ભયાન્વિત મુવિ નૃણાં વૈરાગ્યમેવાભયં.” સંસારમાં વૈરાગ્ય સિવાય સર્વત્ર ભય વ્યાપ્ત છે. આલોકમાંપરલોકમાં શું થશે તેનો ભય, અકસ્માતનો ભય આમ અનેક પ્રકારનો ૧૪૬ ૧૪૭
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy