________________
માન ન મળે તો તે અન્યનું અપમાન કરે છે, અને તેનું બૂરું ઈચ્છે છે. માન મેળવવા ઊંઘ હરામ કરશે, ધન વેડફશે, લોકોની ખુશામત કરશે. અચેતન એવા માટી, કાદવ કે હલકા દ્રવ્યો પ્રત્યે તિરસ્કાર કરી પોતે શ્રેષ્ઠ છે તેમ મનાવશે. ઘરમાં ધૂળ લાગે તેની ચીવટ રાખી તેને ફેંકી દેશે, પણ ચેતનાને કષાયની ધૂળ લાગી છે તે જાણતો નથી અને ફેંકતો નથી. આમ માન કષાયમાં ફસાઈને તે મોક્ષને ગુમાવે
છે.
ક્રોધાદિમાં સ્થિતિ વર્તતી અજ્ઞાની એવા જીવની;
જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય ક્રમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.' ગાથા 90
- શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી ‘સમયસારમાંથી ૦ કષાયયુક્ત ચેતનાની રમતના પ્રકારો
કષાયની રમતનાં મુખ્ય ચાર દાવ છે અને પેટા રમતના નવ દાવ છે. ચાર દાવ :- ક્રોધ, માન, માયા, લોભ.
માયા-લોભ, રાગના પેટામાં છે. ક્રોધ-માન, દ્વેષના પેટામાં છે.
કષાયને સહકાર આપનારા નવ દાવ-હાસ્ય, રતિ-(પ્રીતિ,) અરતિ (અપ્રીતિ), ભય, શોક, દુર્ગછા-તિરસ્કાર, સ્ત્રી, પુરુષ, નપુંસક-વેદની કામવૃત્તિ.
આ કષાયો ચેતનાને કર્મભાવમાં કેવી રીતે આકર્ષી લે છે તે જોઈએ. • ક્રોધ, માન, માયા, લોભ વિષે :
૧. ક્રોધ : જીવને જ્યારે ક્રોધ પ્રકૃત્તિનો ઉદય થાય છે ત્યારે તે જડ અને ચેતન બંને પદાર્થો પ્રત્યે આવેશપૂર્ણ વ્યવહાર કરે છે. ક્રોધના ઉદય સમયે તે આહાર ગ્રહણ કરવા બેસે છે ત્યારે તે તે ભાવતા ભોજનો પ્રત્યે પણ કંઈક ક્ષતિ કાઢી તે પદાર્થો પ્રત્યે અણગમો દર્શાવે છે. તે પદાર્થો બનાવનાર પ્રત્યે ક્રોધ કરે છે, અને થાળી જ ઊંચકી ફેંકીને ઘા કરે છે. વળી આવેશમાં કોઈ વસ્તુઓને તોડે છે, ફોડે છે કે ફેંકી દે છે, અને સીતેન દ્રવ્યો સ્ત્રી-મિત્ર આદિ પ્રત્યે શત્રુતા કરે છે, તેમને મારે છે, અને તેમનું અહિત ઈચ્છે છે. અજ્ઞાનવશ તે સમજી શકતો જ નથી કે કોઈ પણ પદાર્થનું તૂટવું-ફૂટવું, સારુંનરસુ હોવું, રહેવું-મરવું, તે અન્યના હાથની કે ઈચ્છાની વાત નથી, છતાં પોતે ક્રોધવશ તેવું નિમિત્ત બનીને કુકર્મ બાંધે છે. કષાયરૂપ કર્મચેતનાની આવી ભયંકરતા છે. - ૨. માન: માન કષાયનો ઉદય થતાં હું ફુગ્ગાની જેમ ફૂલે છે અને જીવનાં પરિણામ માન મેળવવા મથે છે. જો પોતાને ઈચ્છિત
૩. માયા : માયા નામના કષાયમાં તો જીવને મીઠાશ વર્તે છે. માયાના ઉદયમાં જીવ પોતે ફસાયો છે તે જ ભાન રહેવા પામતું નથી. ધનથી સુખી થઈશ તેમ માની તે મેળવવા કેટલાય પ્રકારના છળપ્રપંચ કરે છે. ઘણું મળે તેમ વધુ મેળવવાની તૃષ્ણા માયાવશ તે ત્યજી શકતો નથી. તે જ પ્રકારે સ્ત્રી-પુત્ર મારાં છે તેમના વગર હું જીવી જ ન શકું, તેઓ મારા વગર જીવી ન શકે, આવા માયાના સ્વરૂપમાં તે સ્ત્રી-પુત્ર માટે પણ યુદ્ધો ખેલે છે. છળપ્રપંચ કરે છે. માયાની છાયા તેને શીળી લાગે છે પણ પરિણામે તરવારની ધાર જેવી છે. તે આત્મગુણનો ઘાત કરે છે. માયાને શલ્ય કહેવામાં આવે છે, મહા ઠગારી કહેવામાં આવે છે અને જીવ તેનાથી ઠગાતો જ રહ્યો
૪. લોભ : લોભ તો વળી માયા કરતાં યે ભૂલભૂલામણી જેવો છે અને તેથી એ મુનિને પણ વિચલિત કરે છે.
લોભ કષાયના ઉદય સમયે ધન ઈત્યાદિ સુખ મેળવવાની આશાએ જીવ ઠંડી-ગરમી, ક્ષુધા-તૃષા, માન-અપમાન સહન કરે છે. જ્ઞાનીને જ્ઞાનનો, ધનને ધનનો લોભ પાડે છે. પણ લોભમાં એવી મીઠાશ છે કે પોતાપણું કળાવા દેતો નથી. ત્યાગીને, ધ્યાનને લબ્ધિરિદ્ધિનો લોભ ચૂકવી દે છે.
સંસારીને લોભ ડગલે ને પગલે પડછાયાની જેમ સાથે રહે છે. સુંદરમાં સુંદર સ્ત્રી મેળવવા સાધનો એકઠાં કરવાં વગેરેમાં તે રાતદિવસ મચ્યો રહે છે. તે કયારેય એવું તો વિચારી શકતો નથી કે સચેતન કે અચેતન પદાર્થો મળવા પ્રારબ્ધાધીન છે. જો કે ગૃહસ્થ શ્રમ કરે તે
૧૪૪
૧૪૫