SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. મુનિ વનવિહાર કરી રહયા છે. કમઠનો જીવ આ જ વનમાં ભયંકર દેહધારી અજગરરૂપે જન્મ્યો છે. યોગાનુયોગ મુનિરાજને અજગર જુએ છે અને સ્વભાવવશ, પૂર્વના વૈરવશ મુનિરાજને ગળી જાય છે. મુનિ તો ધર્મધ્યાનમાં મગ્ન રહી સમાધિ મરણને પામે છે. (૪) મુનિરાજનો જીવ અત્યંત શુભભાવને કારણે દેવલોકમાં ઉત્પન્ન થયો અને કમઠનો જીવ પાછો નરકમાં ઉત્પન્ન થયો. વળી કર્મજન્ય સુખ-દુઃખાદિને ભોગવતાં બંનેનો દીર્ઘકાળ પસાર થઈ ગયો. (૫) મરુભૂતિનો જીવ વળી વિદેહક્ષેત્રમાં ચક્રવર્તીપણું પામ્યો અને કમઠનો જીવ એ ક્ષેત્રના એક જંગલમાં ભીલપણે ઉત્પન્ન થયો. વનાભિ ચક્રવર્તીને અનુરૂપ જીવનચર્યા ચાલી રહી છે તેમાં વિશેષતા એ થઈ કે તેણે છ ખંડનું રાજ વિના અવરોધે, વિના હિંસાએ પ્રાપ્ત કર્યું. ચક્રવર્તીને અનુરૂપ સુખભોગને ભોગવતા છતાં, જ્ઞાનની પ્રતીતિ યથાવતુપણે વર્તે છે. તેથી અનુક્રમે સમયોચિત તે મુનિ દીક્ષા ગ્રહણ કરે છે. કાલના ચક્રવર્તી આજે તો નિગ્રંથ થઈ જંગલમાં વિહરી રહ્યા નરેશને ત્યાં આનંદ નામે રાજકુમાર તરીકે જન્મ પામ્યો અને કમઠનો જીવ જંગલના રાજા સિંહ તરીકે જન્મ પામ્યો. આનંદકુમારે રાજસુખનો ત્યાગ કરી મુનિ દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધ રત્નત્રયીની આરાધનામાં લીન થયા છે. વળી અનિત્યાદિ બાર ભાવના વડે અતિ કરુણામય પરિણામે તેમણે તીર્થકર નામકર્મની પ્રકૃતિનો બંધ કર્યો હતો. નિજસ્વરૂપમાં એકાગ્ર મુનિ જંગલમાં કાયોત્સર્ગથ્થાને આરૂઢ છે, ત્યાં તે જ સ્થળે સિંહ ગર્જનાસહિત આવ્યો. પૂર્વના વૈરભાવની તીવ્રતાએ તે સિંહ જ્ઞાનીને ક્યાંથી ઓળખે? તેણે તો મુનિના શરીરને ફાડી ખાધું. સંસારની તેવી વિચિત્રતા છે. એકવાર બાંધેલું વેર જો વમન થયું તો તેની ભયંકર પરંપરા ચાલે છે. એકબાજુ લગાતાર ક્ષમાભાવ છે, બીજી બાજુ ક્રૂર વૈરભાવ છે. મુનિરાજે પૂર્ણ સમતાભાવે દેહ છોડ્યો. (૮) મરુભૂતિ સ્વર્ગલોકમાં ઈદ્રપણું પામ્યા. સિંહ ક્રૂરભાવથી મરી નરક ગતિનું પુનરાવર્તન પામ્યો. (૯) મરુભૂતિનો જીવ સ્વર્ગલોકમાંથી ચ્યવન કરીને બનારસી નગરીમાં વિશ્વસેનરાજાની રાણી વામાદેવીની કુક્ષીએ ઉત્પન્ન થયા. ઈન્દ્ર અને દેવદેવીઓએ મળીને તેમનો જન્મોત્સવ ઊજવ્યો. પાર્શ્વનાથનો જન્મ જગતકલ્યાણરૂપ હતો. આખા રાજ્યમાં આનંદ અને સુખ છલકાઈ રહ્યા છે. પ્રભુજન્મથી ત્રણ જ્ઞાન સહિત હતા, અને વૈરાગ્ય-ભાવનાવાળા હતા. શિશુવયથી જ ઉત્તમ જીવન ધારણ કરી રહ્યા હતા. કમઠનો જીવ દુઃખ સહન કરી કરીને કંઈક વિશુદ્ધિ પામતો પુણ્યબળે કોઈ નગરીનો રાજા થયો હતો. તેની રાણીના મૃત્યુના આઘાતથી તે તાપસ થયો હતો અને બાલતા વગેરે કરતો હતો. તે એકવાર બનારસી નગરીમાં એક વનમાં પંચાગ્નિ તપ તપતો હતો, તે સમયે પારસકુમાર ત્યાં આવી ચઢયા. તેમણે તાપસને વંદન કર્યા નહિ તેથી તાપસ ક્રોધે ભરાયો. એથી તેને શાંત થવા કુમારે ઉપદેશ આપ્યો. છતાં તાપસ તો અગ્નિમાં લાકડા હોમતો જ રહ્યો. ત્યાં તો પારસકુમારે એકદમ તાપસને રોકયો અને ચીરેલા લાકડાંને અલગ કરાવી જોયું તો તેમાં નાગનાગણી દાઝી ગયેલાં પીડાતા હતાં. પ્રભુએ એકવાર મુનિરાજ ધ્યાનદશામાં લીન છે. ત્યાં તો જંગલમાંથી એક તીર સનસનાટીભર્યું આવ્યું અને મુનિના દેહને આરપાર વીંધી નાખ્યો. કમઠનો જીવ જે જંગલમાં ભીલપણે જન્મ્યો હતો. તેણે, પરાપૂર્વના વૈરભાવના કુસંસ્કારોબળે મુનિને જોયા કે ક્રોધવશ હાથમાંથી તીર છૂટું મૂકી દીધું, મુનિનો દેહ વિંધાયો, પણ આત્મા સ્વરૂપમાં સ્થિર રહ્યો. ત્યાં ન હતો રાગ કે દ્વેષ, ન હતો કોઈ શત્રુ કે મિત્ર, સમભાવથી ભરપૂર ઉપયોગમાં રહી મુનિરાજ સમાધિમરણને પામ્યા અને ભીલ આયુ પૂર્ણ થતાં રૌદ્રધ્યાને મરણ પામી અવગતિને પામ્યો. (૬) મુનિરાજ અહમીન્દ્ર થયા અને ભીલ કમઠનો જીવ નારકીમાં ઉત્પન્ન થયો. અનંતકાળ સુધી મરુભૂતિનો જીવ દિવ્ય સુખ ભોગવતાં, છતાં પણ મુનિદશાની ધન્યતા વિચારતા હતા અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતા હતા. કમઠનો જીવ નારકીનાં દુઃખ સહેતો હતો. (૭) દીર્ઘકાળનું દિવ્ય સુખ ભોગવી મરુભૂતિનો જીવ અયોધ્યા ૧૦૬ ૧૦૭
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy