SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કર્મસત્તાનું સ્વાયત્ત કાચી ૦ જગતના મુખ્ય પદાર્થોની સમજ : જગતમાં મુખ્યત્વે બે પદાર્થો, દ્રવ્યો કે વસ્તુઓ છે. તેને અલગ અલગ શબ્દથી ઓળખવામાં આવે છે. ચેતન-જડ (અચેતન) આત્મા-દેહ જીવ-પુગલ સ્વરૂપ-પરરૂપ અવિનાશી-વિનાશી નિત્ય-અનિત્ય. આત્મા (જીવ)નું લક્ષણ ચેતન છે. નિત્ય, શુદ્ધ, અરૂપી આદિ તેના ગુણો છે. પરિણામ, પર્યાય, ઉપયોગ જીવની ક્ષણિક અવસ્થા દેહ (પુગલ)નું લક્ષણ જડ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ તેના ગુણો છે. પુદ્દભરાવું, ગલ-ગળવું.-અર્થાત્ પુદ્ગલનો સ્વભાવ ભરાવું અને ગળવું તે છે. લોઢું લોહચુંબકના પ્રદેશમાં આવે ત્યારે લોહચુંબક સાથે ચોંટી જાય છે તે પ્રમાણે આત્માના પરિણામ ભાવ, વિકલ્પો સાથે જોડાય છે ત્યારે તે ક્ષેત્રમાં રહેલી કાર્મણવર્ગણા આત્મપ્રદેશ ઉપર ચોંટે છે. અને તેના સમયે સુખ દુઃખાદિ રૂપે પરિણમે છે. આત્મા અને કર્મનો સાંયોગિક સંબંધ છે. આત્મા સ્વભાવમાં રહે તો કાર્મણવર્ગણા સ્પર્શતી નથી. શરીરમાં પુદ્ગલ પરમાણુઓનું આવવું અને જવું, શુભાશુભ કર્મોનું આવવું અને જવું સતત થયા કરે છે. કર્મને શાસ્ત્રભાષામાં કાર્મણવર્ગણા કહેવામાં આવે છે. અર્થાત્ અનંત પુગલ પરમાણુઓની સૃષ્ટિવ્યાત તે એક કર્મસત્તા છે. લોહચુંબકના ન્યાયે જીવના પરિણામ વડે આ કર્મવર્ગણા વિવિધ પ્રકારે આકર્ષાઈ જીવના પ્રદેશો સાથે ચોંટે છે. જડ કર્મો ચોંટવાનો ભાવ કરતાં નથી, પણ જે જીવ જેવા ભાવ કરે તે પ્રમાણે તે આકર્ષાય છે અને સંયોગરૂપે ટકે છે. સુખ-દુઃખ મળવું તે શું કર્મને આધીન છે ? કર્મના શુભ અશુભ એમ બે પ્રકાર છે. શુભભાવ વડે શુભકર્મ ઉપાર્જન થાય છે અને તેના ફળરૂપે જીવ શરીરાદિ, ધનાદિની સુખ સંપત્તિ જેવાં સંસારનાં અલ્પ સુખોને પામે છે. પરંતુ આ સર્વ સાધનો અલ્પજીવી હોય છે. આવાં કર્મફળ એ એક પ્રકારે બાલતપ, દાનાદિનું પરિણામ છે. જ્ઞાનીને શુભક્રિયા અને શુભભાવ હોય છે, પરંતુ આત્મતત્ત્વાદિની પૂર્ણ શ્રદ્ધાને કારણે તેઓ જ્ઞાનવૃદ્ધ હોવાથી તેમની ક્રિયાદિ સત્પુણ્યરૂપ હોય છે જેથી તેઓ સંસારનાં સુખોને પામવા છતાં તેનાથી પોતાને ભિન્ન માને છે અને મળેલા સુસંયોગનો સદુઉપયોગ કરી જીવન સાર્થક કરે છે. પુણ્યયોગમાં અટકી જતા નથી; અંતે મુક્તજીવન જીવી સિદ્ધદશા પામે છે. અશુભ કર્મના યોગે જીવ સંસારમાં દુઃખ અને દારિદ્ર પામે છે, હિંસાદિ પાપક્રિયાઓ દ્વારા જીવ અશુભ કર્મને આમંત્રે છે, અને મહાયાતનાઓ તથા સંઘર્ષોને સહે છે. જીવ રાગદ્વેષાદિના, પ્રીતિ-અપ્રીતિના, કામ-ક્રોધાદિના જે કષાયો કરે છે, તેવાં પરિણામો ઊપજે છે, અન્ય પ્રત્યે સેવે છે, અને અંતે તે કર્મ અનુસાર જીવ સંસારમાં વિવિધ ઋણાનુબંધ પામે છે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સર્વ દુઃખનું કારણ આંતરબાહ્ય સંબંધો છે. રાગાદિભાવો તે આંતર સંબંધ છે. બાહ્ય પદાર્થો કે સાધનો તે બહારના સંબંધો કે સંયોગો છે. શુભાશુભ બંને તંદ્રભાવથી મુક્ત થવું તે શુદ્ધ માર્ગ છે. શુભાશુભ આંતર બાહ્ય સંયોગો અનાદિકાળથી જીવ સાથે યોજાયા છે. વળી કર્મ સિદ્ધાંતની વ્યવસ્થા જ એવી છે કે જીવ બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક જો કોઈ વિભાવ-દૂષિત પરિણામ-વૃત્તિ કરે તો પણ કર્મસિદ્ધાંત ભૂલ થાપ ખાતો નથી. કોઈ કહે કે મારાથી દોષ થયો છે પણ મને તેના પરિણામની ખબર નથી તો પણ પરિણામ નીપજે છે. જડ ચેતનના સ્વરૂપને ન જાણવું તે અજ્ઞાન છે અને અજ્ઞાન એ જ કર્મબંધનનો પિતા છે, દુઃખાદિ તેની સંતતિ છે. માટે આત્માને જાણવો, ૧૦૦ ૧૦૧
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy