SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના દરેક પદાર્થો ક્રિયા સંપન્ન છે. જડને જડની ક્રિયા સ્વભાવરૂપે થાય છે. કર્મયુગલ પરમાણુઓનું સામર્થ્ય એવું છે કે જીવના ભાવ પ્રમાણે તે કર્મરૂપે પરિણમે છે, એથી જડમાં ચેતનની ભ્રાંતિ થાય છે. જેમકે દેહ, ઈદ્રિયો અને મન જડ હોવા છતાં જીવને એમ થાય છે કે દેહ તે હું છું. દેહને રોગ થવાના કે મૃત્યુ થવાના ભયથી એમ લાગે છે કે હું મરી જઈશ. સ્ત્રી, પુત્ર, મિત્રાદિના દેહ પર્યાય પ્રત્યે મારાપણાની બુદ્ધિ થાય છે. તે માન્યતા કર્મચેતનાનું પરિણામ છે. • વિભાવરૂપ કર્મચેતના : જગતમાં અનંતાનંત જીવો અસ્તિત્વ ધરાવે છે. અવસ્થાયુક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવથી માંડીને વિશાળ સ્થૂલકાય જીવોમાં ચેતના ગુણ રહેલો છે. જીવમાત્ર ચેતનાયુક્ત હોય છે. એ ચેતનાનું ચાલક બળ ઉપયોગ છે, તે વડે એ પદાર્થોને જાણે છે, જુએ છે અને ચેતનાની અવસ્થા પ્રમાણે તેની બોધરૂપ ક્રિયા થાય છે. આ ઉપયોગમાં જાણવાજોવા સાથે રાગાદિરૂપ, કષાયયુક્ત, પ્રીતિ-અપ્રીતિરૂપ જે અશુદ્ધતા ભળે છે, તેના વડે જે વર્તન થાય છે તે કર્મચેતના કે કર્મફળ ચેતના ઉપયોગ” જૈન શાસ્ત્રોમાં વપરાતો માર્મિક શબ્દ છે. “ઉપયોગ ઉપર જ જીવના બંધન અને મુક્તિનો આધાર છે. મન દ્વારા તેનું વહન થાય છે. ઉપયોગનો બીજો સમાનવાચક શબ્દ છે “પર્યાય'. પર્યાય એટલે વસ્તુની બદલાતી અવસ્થા. જેમ કે માટીમાંથી થતાં ઘડા, કૂંડા આદિ વાસણો, તે માટીની પર્યાય-અવસ્થા છે, તેમ જીવના શુદ્ધાશુદ્ધ ઉપયોગ-પર્યાય ક્ષણે ક્ષણે પલટાતા રહે છે. શુદ્ધ ઉપયોગ વડે જીવ આવરણમુક્ત થતો જાય છે અને અશુદ્ધ ઉપયોગ વડે જીવ આવરણયુક્ત રહે છે. ટૂંકમાં ઉપયોગ એટલે શુભાશુભભાવ, પરિણામ, વૃત્તિ કે પ્રકૃતિ કહી શકાય. • અશુદ્ધ ઉપયોગનું પરિણામ : શુભાશુભ પરિણામોના ઊપજવાથી જીવ શુભાશુભ કર્મનાં બંધનમાં આવે છે, સંસારમાં વિવિધ સ્થાનોમાં ઊપજે છે અને મરે છે, અનેક પ્રકારના સુખદુઃખાદિને અનુભવી સારી-માઠી ગતિને પામે છે. ઉપયોગનું સમ રહેવું તે ધર્મ છે. તેવી અવસ્થામાં જીવ જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકામાં આવે છે. અનેક પ્રકારના દુઃખાદિને સહન કરતો જીવ કયારેક સંજ્ઞા બળે વિશુદ્ધિ કરતો આગળ વધે છે, એમ એકેન્દ્રિયપણાથી વિકાસ પામતો આગળની ગતિમાં ધકેલાય છે, ઊપજે છે અને મારે છે. જેમ જેમ ઈદ્રિયોનો વિકાસ થતો જાય છે તેમ તેમ સંજ્ઞાબળ વધતું જાય છે. મનની વિચારશક્તિ સહિત બોધક્રિયા તો માનવદેહ સિવાય અન્ય ક્ષેત્રે શક્ય નથી. ' અર્થાત્ અન્ય સ્થાનોમાં જીવ સાચા સુખની અંતરયાત્રા કરવા શક્તિમાન થઈ શકતો નથી. તિર્યંચાદિ ગતિમાં જીવે જ્યાં અનંતકાળ ગાળ્યો છે ત્યાં દેહયાત્રા જ થઈ છે અને અશુભ વૃત્તિઓનું જ પ્રાઃ બળ વિકાસ પામ્યું છે, તેથી જીવનો દેહજન્ય સુખોનો સંસ્કાર અતિ દેઢ થતો રહ્યો છે. અને દેહાધ્યાસ જ જીવને સંસારના પ્રતિબંધનું ભયંકર કારણ થયું છે. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો ઉપાય : સંસારમાં સૌ જીવો દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિ ઈચ્છે છે. છતાં જેમકે ક્રોધાદિ થવાનું નિમિત્ત મળતાં જે પરિણામો થયાં તે કર્મફળ છે અને ક્રોધાદિ વ્યક્ત થયા, તે પ્રમાણે વર્તના થઈ તે કર્મફળ ચેતનાપ્રવૃત્તિ છે. ક્ષમાદિભાવને શુભકર્મચેતના કહીશું અને ક્રોધાદિને અશુભકર્મ ચેતના કહીશું. એ શુભાશુભ ઉપયોગ છે. • ઉપયોગના મુખ્યત્વે બે પ્રકાર છે : ઉપયોગ વિષે ખંડ ૧માં કેટલાક પ્રકારો રજૂ કરવામાં આવ્યા છે. છતાં તેને અન્ય રીતે અત્રે વિચારીશું. • ઉપયોગ લક્ષણો જીવ : ૧. શુદ્ધ નિશ્ચયથી સ્વભાવરૂપ ઉપયોગ. ૨. અશુદ્ધ-શુભ-અશુભ કે અસદ્ ઉપયોગ. અશુભની અપેક્ષાએ શુભ ઉપયોગ રહે તેવી ક્રિયાઓને આચરવા યોગ્ય માની છે, પરંતુ અંતમાં બંને ભાવથી મુક્ત થઈ શુદ્ધ ઉપયોગ જ હિતકારી છે. ૯0
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy