________________
૯. ધર્મના દશ અંગ-લક્ષ્ય
• ધર્મનાં દશ અંગ :
આત્મસત્તા-ધર્મચેતના, અનંત ગુણધર્મોથી યુક્ત છે. મૂળ ગુણધર્મો સમ્યગુદર્શન, જ્ઞાન, સંયમ, તપ રૂપ છે. તેમાં શ્રદ્ધા, બોધ, આચરણ નિહિત છે, અર્થાત્ તે આત્મસત્તાનું સ્વરૂપ છે. સ્વસ્વરૂપસ્થ આત્મપદમાં ચારેની ભેદરેખા રહેતી નથી. આત્મા એક સમતારૂપે વિકસે છે. તે અનુભવગમ્ય છે. છતાં જગતના જીવો આત્મપરિચયી થઈ અનંત અને નિરાબાધ સુખને પામે તેથી સર્વજ્ઞ ભગવંતે તે સ્વરૂપને દિવ્યવાણીમાં પ્રગટ કર્યું છે. તેને આચાર્યોએ સૂત્રબદ્ધ કરી ઉપદેશ આપ્યો છે. આ સ્વરૂપના વિવિધ પાસાઓને સિદ્ધાંતરૂપે દર્શાવી, વ્યવહારધર્મની નિરૂપણા કરી છે. તેને જૈન શાસ્ત્રોમાં ધર્મનાં દશ ઉત્તમ અંગો તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ ગુણોના ધારક થતિ-મુનિઓ છે. છતાં ગૃહસ્થ તેનું આચરણ કરીને સાધક અવસ્થામાં સ્થિર થઈ આત્મવિકાસ સાધી શકે છે. આવા ગુણોને આચરનાર સાધક સાધુ મનાય છે. આ ગુણો સર્વ ધર્મ સમ્મત છે. તે આ પ્રમાણે
સમતાસ્વરૂપ થઈ જાય છે. તેની ધર્મચેતના સદા જાગૃત હોય છે.
દશ ઉત્તમ યતિધર્મોનો વિસ્તાર :ભગવાન ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ ગ્રંથમાં પ્રસ્તુત છે કે
સેવ્ય ક્ષાત્તિમાર્દવમાર્જવશૌચં ચ સંયમત્યાગ .
સત્યતપોબ્રહ્માન્ટિન્યાનીયેષ ધર્મવિધિ ૧૬ અર્થ : ક્ષમા-માર્દવ-આર્જવ-શૌચ-સંયમ-ત્યાગ-સત્ય-તપ-બ્રહ્મચર્યઆકિંચન્ય આ દસ ધર્મવિધ ધર્મના પ્રકારો સેવવા જોઈએ.
રાગ-દ્વેષ અને મોહ તે સર્વ દુઃખોનાં, સર્વ કલેષોનાં મૂળભૂત કારણો છે. તેને દૂર કરવા માટે તથા દોષોને નિર્મૂળ કરવા માટે આ દશ પ્રકારનો ધર્મ જિનેશ્વરદેવોએ બતાવ્યો છે. ૧. ઉત્તમ ક્ષમા :
સાચા યતિ, સંત મુનિનું જીવન જ ક્ષમારૂપ હોય છે. કોઈ અનુયાયી કે શિષ્ય તેમનો આદર કરે, કોઈ વિરોધ પક્ષ તેમના પ્રત્યે અનાદર કરે તો પણ તેઓ ક્ષમાને ધારણ કરે છે. મહાન ઉપસર્ગ કે વિષમ પરિસ્થિતિમાં મરણાંતે પણ ક્ષમાનો ત્યાગ કરતા નથી. તેવા તે ક્ષમાના અવતારરૂપ હોય છે. એ ક્ષમાનું અંતરંગ સ્વરૂપ તે સમતા છે જે આત્મસ્વભાવરૂપ છે.
સંસારમાં આગળ વધતા સાધકે અનેકવિધ વ્યાપાર કે વ્યવસાયના વિવિધ વિપરીત સંયોગોમાં, પરસ્પર ઋણાનુબંધના સંયોગોમાં, વ્યાકુળતા કે વ્યગ્રતા થાય તેવા પ્રસંગોમાં શાંતિ ધારણ કરવી. અપમાનજનક અશુભયોગમાં સહનશીલતા કેળવવી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના દોષનું તે પરિણામ છે તેમ બોધ પામી, પ્રારબ્ધનો સ્વીકાર કરી, સમતા ધારણ કરવી, અપમાન કરનાર પ્રત્યે પણ કરુણા કે મધ્યસ્થભાવે જોવું વગેરે ક્ષમાના પ્રકારો છે. • દષ્ટાંત :
ભિક્ષા લઈ જતાં મેતારજ મુનિ પ્રત્યે સોનીને પોતાના દાગીના ચોરવાની શંકા થવાથી તે મુનિના માથે ચામડાંની ભીની વાઘેર બાંધે છે. મુનિ તો આત્મભાવ-ક્ષમાભાવમાં લીન છે. એનું પરિણામ શું આવશે તેનો વિકલ્પ પણ થતો નથી. સોની પ્રત્યે ક્ષમાભાવ ધારણ
૦ ઉત્તમ ક્ષમા
• ઉત્તમ સંયમ • ઉત્તમ માર્દવ
• ઉત્તમ તપ ઉત્તમ આર્જવ
• ઉત્તમ ત્યાગ • ઉત્તમ શૌચ
• ઉત્તમ આકિંચન્ય • ઉત્તમ સત્ય
- ઉત્તમ બ્રહ્મચર્ય આ દેશ પ્રકારના લક્ષણનું રહસ્ય એ છે કે સંતો-મુનિઓ તેને પ્રાણાંતે પણ ત્યજતા નથી. આ દશ ધર્મનું ચરમ સ્વરૂપ સમતા છે. સંતો-મુનિઓ સમતાના ધારક છે. આત્માની વિશુદ્ધ દશામાં તેઓ સમતારૂપ હોય છે.
જે સાધક આત્મા આત્મવિશુદ્ધિને આરાધતો, આ ગુણોને ધારણ કરતો, સમતાનું શિક્ષણ લઈ રહ્યો છે, સમતાના સ્વરૂપનો આંતરબાહ્ય અભ્યાસ કરી રહ્યો છે, તે જ સાધક આત્મશુદ્ધિને ધારણ કરતો
o