SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. સરળ ધમચરણ અસલ સ્વભાવ બતાવશે. શરીર પોતાનું પોત પ્રકાશશે. એવી સ્થિતિમાં પછી ધર્મ કરવો એ ભારે કઠિન બની જશે...! અરે ! કદાચ અશકય પ્રાયઃ બની જશે... આ વાતને સદાય નજર સામે રાખજો. તમે કલ્પના ભલે ગમે તેટલી સુખદ કરી રાખી હોય પરંતુ વાસ્તવિકતા સુખદ નથી, દુઃખદ જ છે ! નિરોગી શરીર એ કલ્પના છે. રોગિષ્ઠ શરીર એ વાસ્તવિકતા છે ! સુખમય સંસાર એ કલ્પના છે... દુઃખમય સંસાર એ વાસ્તવિકતા છે! સંપત્તિની પ્રાપ્તિ એ કલ્પના છે... આપત્તિઓનું આગમન એ વાસ્તવિકતા છે ! જીવન એ કલ્પના છે, મોત એ વાસ્તવિકતા છે. “સાવધાન ! આ કલ્પના આજે નહિ તો કાલે જરૂર તૂટશે... એ વખતે અકળામણ ન થાય માટે અત્યારથી જ ચેતી જાઓ !... પ્રત્યેક પળે ઉંમર વધી રહી છે એમ કહેવાને બદલે એમ કહો કે મોત નજીક આવી રહ્યું છે !.. આ નજીક આવતા મોતને મહોત્સવમય બનાવી જાણવું હોય તો ચાલી રહેલા જીવનને વ્યવસ્થિત બનાવી લો ! હું હમણાં તો મરવાનો જ નથી’ આ ભ્રમને વહેલી તકે દૂર કરી દો. વાસ્તવિકતા એ હતી અને આપણી કલ્પનાઓ જુદી હતી. અને એ કલ્પનાઓએ જ આપણા સંસારનું પરિભ્રમણ અખંડિત રાખ્યું છે. તોડો એ કલ્પનાઓનાં જાળાને ! મોત આવવાનું જ છે અને તે અત્યારે આ જ પળે પણ આવી શકે છે આ વાસ્તવિકતાને સ્વીકારીને જીવન જીવો. જુઓ પછી એની મજા ! પાપકાર્યોના રસ તૂટી જશે. ધર્મકાર્યોના રસ ઊભા થઈ જશે ! પાપક્રિયાઓની એકાગ્રતા તૂટશે. ધર્મક્રિયાની એકાગ્રતા સધાશે ! પણ કયારે ? સંસારના તમામ ભાવોના સ્વભાવને સતત નજર સામે રાખશું ત્યારે ! એ સિવાય તો એ જ અનાદિના રાહે જીવન ચાલશે. અને અનંતાભવોના ચાલ્યાં આવતાં પરિભ્રમણમાં આ એક ભવનો ઉમેરો થઈ જશે !” - મુનિરાજ શ્રી રત્નસુંદરવિજયજી. • ધર્મ અભિમુખતા : આ વર્તમાન યુગમાં બુદ્ધિની વૃદ્ધિ થતાં, તથા વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ થતાં, જીવો ધર્મની સમૃદ્ધિને વિસરી જતાં હોય તેવું જણાય છે. વળી કેટલાંક જીવો ધર્મ પામવાની અભિલાષાએ કે ધર્મ આરાધીએ છીએ તેવી કલ્પનામાં ધર્મને નામે ધર્મક્રિયા કરતાં જણાય છે. અનેકવિધ ક્રિયામાં, સ્થાનમાં, કે ગ્રંથવાંચનમાં કંઈક ફેરફાર કરીને ધર્મી એમ માની લે છે કે મેં ધર્મ કર્યો, હું ધર્મ કરું છું. તેણે વિચારવું કે જે ધર્મ આત્મશક્તિને જાગૃત ન કરે કે ચેતનાના શુદ્ધ પ્રવાહને વહેતો ન રાખે, તો તેના જ્ઞાન-ધ્યાન ઢાલની જેમ વિકારો, વાસનાઓ કે દોષો સામે રક્ષણ કરી નહિ શકે. સદાચારી કે શુદ્ધાચારી સવૃત્તિપૂર્વક વર્તના ન કરે, સમદષ્ટિયુક્ત કે સમતારૂપ આચાર ન કરે તેની કોઈ ક્રિયા ધર્મરૂપ નથી. તે શુષ્ક ક્રિયા છે. તેનું ફળ આંશિક છે. પાસ થવા જેવા પણ તેમાં ગુણાંક મળતા નથી. તો હવે કેવા પ્રકારે ધર્માચરણ કરવું? બુદ્ધિની વૃદ્ધિ નહિ પણ બુદ્ધિની શુદ્ધિ જ આત્માની સમૃદ્ધિ છે. તે ધર્મ છે. શાસ્ત્રકારોએ ઉત્તમ ધર્મ આરાધના માટે જીવોના સંસ્કાર અને પ્રકારને લક્ષમાં રાખી ધર્મની વિવિધ માર્ગે પ્રરૂપણા કરી છે. આ ધર્મના માર્ગે જનારે સૌ પ્રથમ આત્મશ્રદ્ધા અને પરમાત્માની શ્રદ્ધાને સ્થાપિત કરવી પડશે. કારણ કે આત્મા છે ત્યાં ધર્મ છે. અને પરમાત્મા છે ત્યાં માર્ગ છે. મલિન દર્પણમાં જેમ પ્રતિબિંબ સ્પષ્ટ જણાતું નથી તેમ આત્માની અશુદ્ધ દશામાં ધર્મ પ્રગટ થતો નથી. તેથી સાધકે પરમાત્માના શુદ્ધ સ્વરૂપની કલ્પના, ભાવના અને શ્રદ્ધા વડે આત્માને જાણવાનો છે. તે માટે પ્રથમ શુદ્ધિ કરવી જરૂરી • પંચાચાનું પાલન : જ્ઞાનીજનોએ ગૃહસ્થાશ્રમમાં સાધકને જીવનશુદ્ધિ માટેના કેટલાક આચારો દર્શાવ્યા છે. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય (ભીલ)
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy