________________
. જીવનમાં ધર્મનું સ્થાન
• માનવના મનના જાત ભાત અને પોતનું ભાન :
કોઈ સન્મિત્રના, સત્સંગ કે સતુ માર્ગદર્શનના અનુયોગે કે સ્વયં પ્રેરણાએ વ્યક્તિને ધર્મવિચારણાનો પ્રારંભ થાય છે. ત્યારે તેને સમજાય છે કે સંસારમાં જ રત રહેવું તેટલું જ માનવદેહનું કર્તવ્ય નથી, પરંતુ માનવજીવનની જાત, ભાત અને પોતે કંઈ નિરાળા છે. આવી વિચારણા થતાં જ તે જીવનું દિશાપરિવર્તન થાય છે. તેને ધર્મકથાઓ, ધર્મચર્ચા, ધર્મતત્ત્વ જેવાં સાધનોમાં રુચિ થાય છે અને અંતરમાં આનંદ અનુભવાય
સંયમ, વ્રત કે તપ પણ બાલચેષ્ટારૂપ ન હોય તો તે સકામ નિર્જરારૂપ હોય છે. શ્રાવક કે મુનિ એ દશામાં અંતઃચેતનાની રમણતાને અનુભવે છે. તેઓનું જીવન પ્રસન્નતાથી ભરપૂર હોય છે. અને એક સમયમાં તો અનંત દોષો દૂર થતા રહે છે.
“રણ ને દ્વેષ છૂટેલી ઈંદ્રિય વિષયો ત્યજે વશેન્દ્રિય સ્થિર આત્મા તે પામે છે પ્રસન્નતા પામ્યો પ્રસન્નતા તેના દુઃખો સૌ નાશ પામતા પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ અને સ્થિર.”
- ગીતા અનુવાદ આમ શુદ્ધભાવયુક્ત ધર્મક્રિયાથી આનંદ, પ્રસન્નતા, સમતા, શાંતિ, વીતરાગતા વગેરે તત્ત્વરૂપ ફળશ્રુતિ છે. જીવની ચેતના સતુરૂપ, આનંદમય છે. તેવાં મૂળ સ્વરૂપનાં અંશો પ્રગટ થાય પછી જડતા અબોધતા કે યંત્રવત્તા ટકી જ ન શકે, એ સર્વ પરિબળો રાગદ્વેષનાં મૂળ છે. જીવની વૃત્તિ જેમ જેમ ઉદાસીન થતી જાય તેમ તેમ તે પરિબળો નબળા થતાં જાય છે. ત્યાર પછી જડ જડરૂપે પાછળ રહી જાય છે અને ચેતન ચેતનરૂપે પ્રગટ થાય છે.
અંતમાં ધર્મક્રિયાના અનુષ્ઠાનોમાં ભૂમિકા અનુસાર સાધનોનું પ્રયોજન ગ્રહણ કરી તેમાં ભાવ-પરિણામ-વૃત્તિ કે ઉપયોગને તે રૂપે જોડેલા રાખવા પ્રારંભમાં પ્રયાસ કરવો. અભ્યાસવર્ડ તત્ત્વદેષ્ટિ થતાં કે અંતર્મુખતા થતાં અલ્પ પ્રયાસે જીવન ધર્મરૂપ થતું રહેશે. પછી ભિન્ન ભિન્ન યથાર્થ ક્રિયાઓના આધારે આગળ વધી ચિંતન, ભાવના જેવા આંતરિક સાધનોના આધારે પણ સ્વરૂપનો અંશે અંશે અનુભવ પ્રાપ્ત થતો રહેશે, અને ચિત્ત શુદ્ધ ઉપયોગમાં સ્થિર થવા યોગ્ય થશે. • હિતશિક્ષા :
આંતરિક નિર્દોષ બળ ચિત્તનું પ્રક્ષાલન કરે છે. એ પ્રક્ષાલન પૂર્ણજ્ઞાનની ભૂમિકા સુધી સહેજે થતું રહે છે. તે આત્મા નિરહંકારી, નિશ્ચિત, નિરાભિમાની અને નિર્દોષ હોય છે. પ્રભુનો દાસાનુદાસ થઈ રહે છે.
પૂર્વે સંસારમાં કેટલાયે સુખનાં સાધનોમાં ઈચ્છાઓની પૂર્તિ અને વૃદ્ધિમાં, બાહ્ય સાંસારિક પ્રસંગોમાં, સ્ત્રી, પુત્ર કે મિત્ર સાથે સંયોગ વગેરેમાં સુખ માણતો હતો, તે કરતાં આ સાધનો વડે પ્રાપ્ત સુખ કંઈ નિરાળું અને ઉત્કૃષ્ટ છે તેવું તેને ભાન થાય છે. અંતરંગ શાંતિ અને સંતોષ વડે તે તૃપ્ત થાય છે. આ માનવની મૂળ જાત છે.
આવી ભૂમિકામાં આવ્યા પછી તેની વિચારણા આ પ્રકારે ચાલે છે. સંપત્તિ અને સાનુકૂળતા નહોતી ત્યારે તે મેળવવા અહોરાત્ર તેની જ ચિંતા થતી હતી. વળી સંપત્તિ અને સાધન મળ્યાં ત્યારે કાયદાકાનૂન વગેરેમાંથી ઉત્પન્ન થતી ચિંતા સતાવતી હતી. વિવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યો ત્યારે અન્ય સાથે સ્પર્ધા જેવા ભાવથી પીડા પામતો હતો. સ્ત્રીપુત્ર પરિવારમાં ક્યારેક કોઈની બિમારી આવતાં શું થશે તેનો ભય સતાવતો હતો. રાત્રે કંઈ અવાજ થાય તો ચોરનો કે અશુભ સમાચારનો ભય લાગતો હતો. પુણ્યબળે સર્વ અનુકૂળતા હોવા છતાં કંઈક ને કંઈ ઈચ્છાઓ અને વાસનાઓ ઊઠતી તે સર્વની પૂર્તિ ન થાય ત્યારે વળી તેના જ વિચારમાં ખોવાઈ જતો હતો. આમ અંતર તો દરિદ્ર અવસ્થામાં જ પીડાતું રહેતું. પરંતુ હવે આ ધર્મનાં સાધનો કેવું સુખ આપે છે ? એની તેના ચિત્ત ઉપર ભાત પડે છે. કે જે કંઈ થવાનું છે તે નિયમ પ્રમાણે થવાનું છે, તું શીદને ચિંતા કરે ?
પ૭