________________
• કેવો મનુષ્ય સુખ પ્રાપ્ત કરે છે. ?
જગતના ભૌતિક સુખો મળો યા ન મળો પણ ધર્મ કે જેમાં સરળતા, સત્યતા, ઉદારતા, સમાનતા, નિરપેક્ષતા નિઃસ્વાર્થતા, નિરહંકારિતા, સમાયેલા છે તે જીવો દેહત્યાગ કરવાનું પસંદ કરે છે પણ ધર્મને છોડતા નથી. આવું સાહસ કરનારા જીવો પૂર્વસંસ્કારબળે વર્તમાનમાં ધર્મને જીવીને અનુક્રમે અર્થ અને કામને ગૌણ કરી કે વશ કરી મોક્ષને સાધવા પ્રેરાય છે.
ધર્મને અનુસરનારા જીવો કામને-કોઈપણ પ્રકારની ઈચ્છાઓને સર્વ પ્રકારે આધીન હોતા નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, અનુચર કે સમાજ સાથેનો તેમનો સંબંધ કેવળ આશા, તૃષ્ણા, અપેક્ષા, સ્વાર્થ કે મોહવશ હોતો નથી. સુખબુદ્ધિ હોવા છતાં તેની ગૌણતા છે. ઈચ્છા કે વાસનાઓ તેને પીડતી નથી. પ્રારબ્ધવશ જે મળે તે અથવા પ્રયત્નપૂર્વક જે કંઈ મેળવ્યું તેમાં સૌના હિતનું લક્ષ પ્રધાન હોય છે. આમ તે સંસ્કારી આત્માઓ ધર્મને પ્રધાન કરી અર્થ અને કામની આડપેદાશને ગૌણ કરી મોક્ષ એટલે સાચા સુખ ભણી વર્તે છે અને સંસાર રહે ત્યાં સુધી દુઃખનાં કારણો ઉપાર્જન કરતાં નથી. ૦ હિતશિક્ષા :
આમ ધર્મને અગ્રિમતા આપે છે તે પ્રજ્ઞાવંત પુરુષ વચ્ચેના અર્થ અને કામની સ્પૃહા વગર પુણ્યપ્રાપ્તિ હોવા છતાં તેને ઓળંગીને મોક્ષને મેળવે છે. “તન, ધન, ઘર, સ્ત્રી, મિત્ર, અરિ પુત્રાદિ સહુ અન્ય
પરભાવોમાં મૂઢજન માને તેહ અનન્ય.” “યોગ્ય ઉપાદાને કરી પત્થર સોનું થાય તેમ સુદ્રવ્યાદિ શ્રી જીવ શુદ્ધ થઈ જાય.”
-(શ્રી પૂજ્યપાદસ્વામીકૃત ઈબ્દોપદેશમાંથી) જો પ્રજા પાસે, મનુષ્ય પાસે સત્તા હોય, પૈસો હોય, પણ સાથે ધર્મ ન હોય તો સત્તા અને પૈસાનો ઉપયોગ કરતાં તેને આવડતું નથી. સત્તા અને પૈસાની સાથે પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. તે માટે ધાર્મિક શિક્ષણની જરૂર છે. એ બાબત ધ્યાનમાં
રાખી ભારતના ઋષિમુનિઓએ ધર્મને પહેલા પુરુષાર્થ તરીકે માનેલો છે. ધર્મ પ્રમાણે અર્થ અને કામ એ પુરુષાર્થ સિદ્ધ થાય તો જ પ્રજા સંયમી અને નીતિવાળી રહી શકે. જ્યાં ધર્મની ભાવના જ ના હોય ત્યાં અર્થ અને કામ માણસને પશુ જેવો બનાવી દે છે. તેનો નમૂનો પશ્ચિમમાં ઘાતકી લડાઈઓમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે.
તોપણ ઋષિમુનિઓ આર્યોની વિદ્યાના મૂળ એવા ઊંડાં નાખી ગયા છે કે તે વિદ્યાની અસર પશ્ચિમના દેશો ઉપર શરૂ થઈ છે.
માણસના ટૂંકા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય તેવી સમાજવ્યવસ્થા, રાજયવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થા કરવી સહેલી નથી. માણસ પોતાના પગરખા અને પાઘડી વચ્ચે સમાઈ જતો નથી. તેની અંદર જે જે શક્તિ, જ્ઞાન, પ્રેમ વગેરે રહેલાં છે તે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતાં નથી.
તેથી જ્ઞાનીઓએ ધર્મ એટલે સદ્ભાવના પ્રથમ મૂક્યો જેથી માનવ અસદુ સંસ્કારો ત્યજી સ્વ-પર શ્રેય રૂપ અર્થનું ઉપાર્જન કરે, આજે મહદ્ અંશે આ ઉદ્દેશ ગૌણ થઈ ગયો હોવાથી સર્વત્ર સ્વાર્થ અને લોભ જેવા દોષો જીવોના જીવન સાથે અમાનુષી ચેડા કરે છે.
ખાદ્ય પદાર્થો હોય કે ઔષધી હોય ધનનો અર્થી અન્યનું સુખ સલામતી ભૂલી જાય છે. અને અજ્ઞાન વશ કહેતો હોય છે કે ધર્મથી વ્યાપારાદિ કરીએ તો અમારો વ્યવહાર કેવી રીતે નભે ! પુણ્યનો ભરોસો તો ગયો અને પાપને ભરોસે જીવન છોડી દીધું. ભાઈ ! સાથે પુણ્ય અને પાપના ફળ જ આવવાના છે માટે વિચાર કરીને જીવજે.
સંસારના સુખ ઉપર જેમણે સફળતા મેળવી છે તેમણે આત્મા ઉપર સફળતા મેળવેલી છે એમ કહી શકાય નહિ. હાલ સુધરેલા માણસો આત્મા તરફ વળતા નથી. ઈચ્છા વધે, વ્યભિચાર વધે ત્યાં જંગલીપણું છે. સંયમ નથી ત્યાં બાળકો પણ સંયમ વગરના અવતરે છે. કામી અને ક્રોધી મા-બાપના સંતાનો પણ કામ ક્રોધી જ થાય છે.”
- પૂ. શ્રી રમણ મહર્ષિ
૩૬
૩૩