________________
આત્મ સ્વભાવ જ સમજી લેવાનો છે. મઠિયા ખાય તે તીખા હોય કે મોળા, આત્મ સ્વભાવ વીતરાગ છે, જાણકાર જ છે. સ્વાદના રંગે રંગાતો જ નથી. એ અસ્પૃશ્ય સ્વભાવનો જ છે.
ગમે તેવા અપમાનમાંય આત્મા પોતે જાણકાર જ રહે છે કે અપમાન કોનું થાય છે, પોતે કોણ છે. પણ સ્વભાવ જાગૃતિની ખામીને લઈને અપમાનની અસર માથે લઈ લે છે. પરિણામે પોતાનું જાણપણું ચૂકી જાય છે.
[૮] સ્વભાવ-સ્વપરિણતિ-સ્વરિણામ
[૮.૧] સ્વભાવ : પરભાવ “હું શુદ્ધાત્મા છું” એ સ્વભાવ છે અને હું ચંદુ, આ મારું એ બધો પરભાવ છે.
હું ચંદુ અને હું પૈસા કમાવાના ભાવ કરું છું, એ પરભાવ. પણ હું શુદ્ધાત્મા’ અને પૈસા કમાવાના ભાવ છે એ પરભાવ નથી ગણાતો. એ ડિસ્ચાર્જ છે, એને જોનારો પોતે છે.
આત્મા સ્વભાવનો જ કર્તા છે, પરભાવનો કર્તા નથી. પરભાવનો કર્તા અજ્ઞાન, “હું ચંદુ છું એ. પરભાવો એ કોઝીઝ બંધાવાની શરૂઆત છે.
પાંચ આજ્ઞા પાળે તે પરભાવમાં જઈ શકે નહીં. આજ્ઞા પાળવાનું ફળ પરભાવથી મુક્તિ અને સ્વભાવમાં સ્થિતિ. પરભાવ ઉત્પન્ન ના થાય એ અપ્રતિબદ્ધ કહેવાય.
[૮.૨] સ્વપરિણતિ-પરપરિણતિ પરિણતિ એટલે પરિણામને પોતાના માનવા. આ ચંદુભાઈ જે કરે એ પરપરિણામ છે. એને “હું કરું છું એવું જો થાય તો પરપરિણતિ કહેવાય. માથું દુઃખે એ પરપરિણામ. તેને “મને દુઃખ્યું એમ કહે તે પરપરિણતિ.
પારકા પરિણામને “હું કરું છું માનવું એ પરપરિણતિ અને પોતાના પરિણામને પોતાના માનવા એ સ્વપરિણતિ.
શુભ અને અશુભ એ બધી પુદ્ગલ પરિણતિ છે.
43