________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : અને અત્યારે જેમ આપ જ્ઞાન આપો છો જે લોકોને, એ લોકોને આત્માનું જ્ઞાન થાય કે આત્માનો અનુભવ પણ થાય કે બન્ને થાય ?
દાદાશ્રી : થાય ને, થાય જ છે.
પ્રશ્નકર્તા : એને અનુભવ પણ થાય અને આ જ્ઞાન પણ થાય ?
દાદાશ્રી : થાય જ છે ને, બધાને થાય છે. અનુભવ જો ના હોય તો પછી આત્મા જ નહીં ને !
૩૪૪
પ્રશ્નકર્તા ઃ અનુભવની અંદર છે તે જાગૃતિ રહે, જાગૃતિ આવે છે ? દાદાશ્રી : જાગૃતિ એ જ.
પ્રશ્નકર્તા : એ જ અનુભવને ?
દાદાશ્રી : નહીં, જાગૃતિ એ જ વસ્તુ છે કે જેનાથી અનુભવ બીજા બધા આપણને થાય છે. એક બાજુ લખીએ કે પહેલા ચંદુભાઈ હતા તે શું હતા અને અત્યારે ચંદુભાઈ શું છે ? એ શું કારણથી ? ત્યારે કહે છે કે આ જ્ઞાનના પ્રતાપે, જાગૃતિના પ્રતાપે આ આત્મા તરફની દિશા જાગી ગઈ છે, રાઈટ દિશામાં અને આ રોંગ દિશામાં હતા, તે આખોય ચેન્જ મારે, હંડ્રેડ પરસેન્ટ ચેન્જ લાગે.
પ્રશ્નકર્તા : હા, એટલે ચેન્જ થાય બરાબર. પણ ચેન્જ થાય ક્યારે ? જાગૃતિ આવ્યા પછી ચેન્જ થાયને?
દાદાશ્રી : જાગૃતિ આવી જ જાય, આ જ્ઞાન આપીએ પછી એને. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાતા જ દોષો
પ્રશ્નકર્તા : જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય.
દાદાશ્રી : હા, પલટો થતો જાય.
પ્રશ્નકર્તા : એ જ આત્માનો અનુભવ.