________________
(૧૭.૨) અનુભવગમ્ય
૩૪૫
દાદાશ્રી : બસ, એ જ, એ જ. પ્રશ્નકર્તા જે પલટો થતો જાય, જે પોઝિટિવ થતો જાય....
દાદાશ્રી: પોતાના દોષ દેખાતા જાય. આ જગતમાં આ બધા લોક છે ને પણ પોતાના દોષ (કોઈને) ના દેખાય. સામાના દોષ કાઢવા હોય તે બધા કાઢી આપે, જ્યારે અહીં તો પોતાના દોષો દેખાય.
પ્રશ્નકર્તા: હા, પોતાના દોષ દેખાય ! દાદાશ્રી : બધું દેખાય, બધું.
પ્રશ્નકર્તા પછી કાંઈક ખરાબ-ખોટું, સારું-નરસું તેનો ખ્યાલ આવે તે અનુભવ કહેવાય ને ?
દાદાશ્રી : બધું પોતાને ખબર પડી જાય, પોતાને ખ્યાલ આવી જાય એ જ આત્મા.
અનુભવ વધતા થશે જ્ઞાતાત્મા હજુ આ આત્મા, દર્શનાત્મા કહેવાય છે, પછી જ્ઞાનાત્મા થશે ધીમે ધીમે. જેમ અનુભવ વધશેને, તેમ જ્ઞાનાત્મા થશે.
પ્રશ્નકર્તા: એ બરાબર છે, દાદા. એ તો અનુભવ થયો છે કે ગુસ્સો આવવાનો હોય તો તરત જ ખ્યાલ આવે છે, જાગૃતિ આવી જાય છે.
દાદાશ્રી : હા, તરત જ આવી જાય. આ જગતમાં જ્ઞાન ના હોયને, તો એને પોતાને ભૂલ દેખાય નહીં કોઈ દહાડોય. (એ પોતે) આંધળો હોય અને જ્ઞાનવાળાને બધી ભૂલો દેખાય.
પ્રશ્નકર્તા : જ્ઞાનવાળાને પોતાની ભૂલો દેખાય. દાદાશ્રી : બધી બહુ દેખાય. ઓહો.. રોજ સો-સો ભૂલો દેખાય.
પહેલા આત્માનુભવ વર્તે, પછી ખપે પુદ્ગલ પ્રશ્નકર્તા: આ પવન દેખાતો નથી પણ તેની લહેર આવે છે ને